TMC ના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા બંગાળ ભાજપના પ્રભારી વિજયવર્ગીય? જાણો

પશ્ચિમ બંગાળમાં જંગી બહુમતીની સાથે મમતા બેનર્જી રાજ્યની સત્તામાં વાપસી કરી રહ્યાં છે. તો મમતા બેનર્જીએ નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારીને પણ પરાજય આપ્યો છે. 

TMC ના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા બંગાળ ભાજપના પ્રભારી વિજયવર્ગીય? જાણો

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની જંગી બહુમતીથી વાપસી થઈ રહી છે. આ વચ્ચે ભાજપના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભાવી કૈલાશ વિજયવર્ગીયે રવિવારે ચૂંટણી પરિણામમાં ટીએમસીની શાનદાર જીતનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું કે, તેમની પાર્ટી પરિણામ પર આત્મમંથન કરશે. 

મમતા બેનર્જીની પાર્ટી 216 સીટ પર આગળ
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સારા પરિણામની આશા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય નેતાઓએ ત્યાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પરંતુ આજે આવેલા પરિણામમાં મમતા બેનર્જીની પાર્ટી 216 સીટો પર આગળ છે તો ભાજપને માત્ર 75 સીટો મળી રહી છે. આ અંગે કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે, અમિત શાહે તેમને ફોન કરી પાર્ટીના ખરાબ પ્રદર્શન વિશે જાણકારી લીધી છે. ભાજપના અનેક મોટા નેતાઓ પણ પાછળ ચાલી રહ્યાં છે. 

West Bengal: નંદીગ્રામમાં ભાજપનો સફાયો, ભારે રસાકસી બાદ મમતા બેનર્જીનો 1200 મતે વિજય

વિજયવર્ગીયે કહ્યુ, તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જીને કારણે જીતી. એવુ લાગી રહ્યું છે કે લોકોએ દીદીને પસંદ કર્યા. ક્યાં ભૂલ થઈ, અમે તેની સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનમાં કમી રહી ગઈ કે ચહેરાનો અભાવ રહી ગયો કે આંતરિક-બાહરી વિવાદ, અમે જોશું ક્યાં ભૂલ થઈ છે. 

મમતા બેનર્જીની હેટ્રિક
ટીએમસીએ મમતા બેનર્જીની આગેવાનીમાં સતત ત્રીજીવાર રાજ્યની સત્તા કબજે કરી છે. 2011માં પ્રથમવાર મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2016માં 200થી વધુ સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી. હવે 2021માં સતત ત્રીજીવાર મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news