Maharashtra-Haryana elections 2019: પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે, દિગ્ગજ નેતાઓ માંગશે વોટ

ભાજપના અધ્યક્ષ અને કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે. તેમાં નવાપુર, અકોલા, કજરત-જામખેડમાં રેલીઓમાં ભાગ લેશે. 

Maharashtra-Haryana elections 2019: પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે, દિગ્ગજ નેતાઓ માંગશે વોટ

મુંબઇ/ચંદીગઢ: મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર અભિયાનના પડઘમ શાંત થઇ જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બધી પાર્ટીઓના દિગ્ગજ નેતા જોરશોરથી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરશે અને જનતા પાસે વોટ માંગશે. 

પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી હરિયાણામાં બે રેલીઓને સંબોધિત કરશે. તેમાંથી એક રેલી એલાનાબાદ અને રિવાડીમાં યોજાશે. પીએમ મોદી સવારે 11 વાગે એલાનાબાદમાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2 વાગે ભિવાનીમાં એક રેલીમાં સામેલ થશે. 

ભાજપના અધ્યક્ષ અને કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે. તેમાં નવાપુર, અકોલા, કજરત-જામખેડમાં રેલીઓમાં ભાગ લેશે. 

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ શનિવારે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. બપોરે 12 વાગે તે સોનીપતમાં એક રોડશોમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 2 વાગે નારનૌંદમાં એક જનસભાને સંબોધિત કરશે. પછી ફરીથી ત્રણ વાગે રામલીલા મેદાન, કરનાલમાં એક રોડ શોમાં ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news