Mumbai: મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, 22 લોકોને હોસ્પિટલ ખસેડાયા

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પારેખ હોસ્પિટલ પાસે એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. 8 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાની ઘટના બાદ 22 લોકોને પારેખ હોસ્પિટલ દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 
 

Mumbai: મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, 22 લોકોને હોસ્પિટલ ખસેડાયા

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પારેખ હોસ્પિટલ પાસે જૂનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રેસ્ટોરન્ટમાં આગના કારણે પારેખ હોસ્પિટલમાં જે 22 લોકોને દાખલ કરાયા હતા તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. એવું કહેવાય છે કે પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની ફરિયાદ બાદ આ પગલું લેવાયું. 

— ANI (@ANI) December 17, 2022

મળતી માહિતી મુજબ પારેખ હોસ્પિટલ પાસે આવેલી એક પિઝા રેસ્ટોરન્ટમાં શનિવારે બપોરે આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી થતા પારેખ હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓને તત્કાળ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર કર્મીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક લોકો હોસ્પિટલમાં ફસાયેલા હતા પરંતુ કહેવાય છે કે આ તમામ દર્દીઓને પણ ફાયરના કર્મીઓ હેમખેમ બહાર કાઢી લીધા છે. 
 

— ANI (@ANI) December 17, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news