મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, તેઓ શિવસેના સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે. આ ગઠબંધન ભાવ-તાલની શરતોના આધારે બન્યું નથી. હિન્દુત્વના મુદ્દે શિવસેના અને ભાજપ મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય નમતું નહીં ઝોખે. 

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ

મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે. જોકે, પ્રજાએ મત એવી રીતે આપ્યા છે કે અત્યારે બધા જ પક્ષો સરકાર બનાવાની સ્થિતિમાં આવી ગયા છે. 

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, તેઓ શિવસેના સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે. આ ગઠબંધન ભાવ-તાલની શરતોના આધારે બન્યું નથી. હિન્દુત્વના મુદ્દે શિવસેના અને ભાજપ મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય નમતું નહીં ઝોખે. 

ફડણવીસને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તેઓ શિવસેનાનો મુખ્યમંત્રી સ્વીકાર કરશે? આ અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે હજુ કશું કહી શકાય એમ નથી. અમે સાથે બેસીને વાતચીત કરીએ ત્યાર પછી જ નક્કી થશે. ફડણવીસે જણાવ્યું કે, સતારા લોકસભા ચીટ પર પેટાચૂંટણીમાં ભાજપના પરાજયની તેઓ સમીક્ષા કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, વર્તમાન સરકારના છ મંત્રી શા માટે હારી ગયા છે. તેમણે કહ્યું કે, આ તમામ મુદ્દે આવતીકાલે વાતચીત થશે. 

શિવસેના દ્વારા દબાણ બનાવવાના મુદ્દે મુખ્યમંત્રી ફડણવીસે પત્રકારોને કહ્યું કે, અન્ય પક્ષોમાંથી વિજયી બનેલા 15 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ તમામ 15 ધારાસભ્યો ભાજપ-શિવસેનામાંથી બળવો પોકારીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. 

આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 

ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news