લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં સતત લાગેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં બેઠેલા અને ઘૂસી બેઠેલા ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 

સુંદરબની: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં સતત લાગેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં બેઠેલા અને ઘૂસી બેઠેલા ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિંગ્યાઓને દેશમાં ઘૂસતા રોકવા માટે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને શ્રેય આપતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળની સમાપ્તિ થતા પહેલા તમામ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. શાહે ગેરકાયદે પ્રવાસીઓને દેશ માટે 'ઉધઈ' ગણાવ્યાં હતાં.  તેમણે બંધારણમાં કલમ 370ને સામેલ કરવા બદલ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવ્યાં જે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. 

રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના આ સરહદી શહેરમાં એક ચૂંટણી સભાને સંબોધતા શાહે પૂછ્યું કે ભાજપ સરકાર દ્વારા કરાયેલું સૌથી મોટુ કામ દેશમાં રોહિંગ્યાઓની ઘૂસણખોરી ખતમ કરવાનું હતું. પીડીપીએ રોહિંગ્યાઓનું ( રાજ્યમાં) સ્વાગત કર્યું. મને જણાવો કે 'શું રોહિંગ્યાઓની ઘૂસણખોરી અટકવી જોઈતી હતી કે નહીં', મોટી સંખ્યામાં હાજર લોકોએ એક સ્વરે 'હા'માં જવાબ આપ્યો હતો. 

રાહુલ જણાવે કે અબ્દુલ્લાના નિવેદનથી તેઓ સહમત છે કે નહી-અમિત શાહ
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાના કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની જરૂરિયાત સંબંધી નિવેદનની ટીકા કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સામે આ વાતને સ્પષ્ટ કરવાનું કહ્યું કે તેઓ તેમના નિવેદન સાથે સહમત છે  કે નહીં. 

જુઓ LIVE TV

ઉત્તરાખંડની પાંચ બેઠકો માટે પહેલા તબક્કામાં 11મી એપ્રિલના રોજ થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયમાં આયોજિત એક જનસભાને સંબોધતા શાહે  કહ્યું હતું કે "ઉમર અબ્દુલ્લા કહે છે કે કાશ્મીરમાં અલગ વડાપ્રધાન હોવા જોઈએ. તેમના સહયોગી પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવે છે અને કોંગ્રેસ ચૂપ છે. આ લોકો સાથે કોંગ્રેસે ચૂંટણી ગઠબંધન કર્યું છે. હું કોંગ્રેસ અધ્યક્ષને કહેવા માંગુ છું કે તેઓ સ્પષ્ટ કરે કે અબ્દુલ્લાની અલગ વડાપ્રધાનની માગણી સાથે તમે સહમત છો કે નહીં."

શાહે પડકાર ફેંકતા કહ્યું કે ભાજપ છે ત્યાં સુધી અબ્દુલ્લાની દેશમાં બે વડાપ્રધાન હોવાની ઈચ્છા ક્યારેય પૂરી થશે નહીં. તેમણે કહ્યું કે અમે સત્તામાં રહીએ કે વિપક્ષમાં, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી થશે નહીં. તેમણે કહ્યું કે શ્યામાપ્રસાદ મુખરજીએ કાશ્મીરમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને તેમના આદર્શો પર ચાલતો ભાજપ દેશમાં આવું કઈં પણ થવા દેશે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news