કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન, કહી આ વાત

કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે. 

કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન, કહી આ વાત

કોઝિકોડ: કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે. 

એર ઇન્ડિયા એક્સપ્રેસએ નિવેદન જાહેર કરતાં ચાલક દળના ચાર સભ્યો સુરક્ષિત છે. જોકે ક્રેશ લેન્ડિંગના લીધે તેમને ઇજા પહોંચી છે અને તેમની કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

તમને જણાવી દઇએ કે કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના અનુસાર દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર સરકી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. ફ્લાઇ-IX 1344- સાંજે લગભગ 7.40 વાગે એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. 

આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે. A737 એર ઇન્ડિયા એક્સપ્રેસમાં આવતાં પહેલાં દીપક વસંત સાઠે ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ રહ્યા હતા. તે વાયુસેનાના (Indian Airforce)ના નિવૃત કમાંડર હતા. તેમણે 11 જૂન 1981ના રોજ તેમણે એરફોર્સમાં કમીશન મળ્યું હતું અને 22 વર્ષની સેવા બાદ 30 જૂન 2003માં નિવૃત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news