જૈન મુનિ તરુણ સાગરની હાલત નાજુક, ડોક્ટરોએ હાથ ઊંચા કરતા શરૂ કર્યા સંથારા

પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત ગંભીર છે. મેક્સ હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.

જૈન મુનિ તરુણ સાગરની હાલત નાજુક, ડોક્ટરોએ હાથ ઊંચા કરતા શરૂ કર્યા સંથારા

નવી દિલ્હી: પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત ગંભીર છે. મેક્સ હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. ડોક્ટરોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે 20 દિવસ પહેલા જોન્ડિસની ફરિયાદ કરાયા બાદ તરુણ સાગર મહારાજને મેક્સ હોસ્પિટલ લઈ જવાયા હતાં. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. બુધવારે તેમને આગળ સારવાર કરાવવાની ના પાડી દીધી અને પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી ગયાં. દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈન તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું છે કે તરુણ સાગર પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારા લઈ રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે તરુણ સાગર મહારાજના પ્રવચનોનું ટીવી પર પ્રસારણ થાય છે. તેઓ પોતાના પ્રવચનોમાં કહેલી વાતોને લઈને વિવાદોમાં રહ્યાં છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે મીડિયાને કહ્યું કે બેથી વધુ બાળકોવાળા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે આ નીતિ તમામ જાતિઓ અને ધર્મના લોકો પર લાગુ થવી જોઈએ. 

હરિયાણા વિધાનસભામાં અપાયેલા તેમના પ્રવચન ઉપર ખુબ વિવાદ થયો હતો. ત્યારબાદ સંગીતકાર વિશાલ દદલાનીની ટિપ્પણી પણ વિવાદમાં આવી હતી. વિશાલે માફી પણ માંગવી પડી હતી. મધ્ય પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરી 2002ના રોજ તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો. 

તરુણ સાગર મહારાજનું અસલ નામ પવનકુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન, 1967ના રોજ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. કહેવાય છે કે તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર પરિવારને ત્યાગીને સન્યાસ ધારણ કર્યો હતો. 

સંથારા શું હોય છે
જૈન ધર્મમાં સંથારાની પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા વૃદ્ધ લોકો અપનાવે છે. તેમાં જ્યારે માણસને આભાસ હોય કે તેમનું મોત નજીક છે તો તે ખાવા પીવાનું છોડી દે છે. જૈન  શાસ્ત્રો મુજબ ઉપવાસ દ્વારા મોતને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. જૈન ધર્મમાં તેને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહેવાય છે. જો કે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાન હાઈકોર્ટે  વર્ષ 2015માં તેને આત્મહત્યા જેવા અપરાધની શ્રેણીમાં રાખ્યા છે. તેને અપનાવનારા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ 306 અને 309 હેઠળ કાર્યવાહીની પ્રક્રિયા છે. હાલ જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news