Corona Updates: આજે ફરીથી મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 42 લાખને પાર, 71 હજારથી વધુના મૃત્યુ

દેશમાં જેમ જેમ બધુ ખુલી રહ્યું છે તેમ તેમ હવે કોરોનાનો વ્યાપ પણ વધતો જોવા મળી રહ્યો છે. જેની પાછળ લોકોની કોરોના પ્રત્યે બેદરકારી પણ એક કારણ હોઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 90,802 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દીઓ 42,04,614 થયા છે. જેમાંથી 8,82,542 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 32,50,429 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 1,016 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 71,642 પર પહોંચ્યો છે. 

Corona Updates: આજે ફરીથી મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 42 લાખને પાર, 71 હજારથી વધુના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં જેમ જેમ બધુ ખુલી રહ્યું છે તેમ તેમ હવે કોરોનાનો વ્યાપ પણ વધતો જોવા મળી રહ્યો છે. જેની પાછળ લોકોની કોરોના પ્રત્યે બેદરકારી પણ એક કારણ હોઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 90,802 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દીઓ 42,04,614 થયા છે. જેમાંથી 8,82,542 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 32,50,429 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 1,016 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 71,642 પર પહોંચ્યો છે. 

કુલ 4,95,51,507 સેમ્પલ ટેસ્ટિંગ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં 6 સપ્ટેમ્બર સુધીમાં 4,95,51,507 નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 7,20,362 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે હાથ ધરાયું જેમાંથી 90 હજાર કરતા વધુ પોઝિટિવ કેસ આવ્યાં. 

અત્રે જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા બાદ ભારત બીજા નંબરે પહોંચી ગયું છે. ભારતે બ્રાઝિલને પછાડી દીધું છે અને તેનાથી આગળ હવે ફક્ત અમેરિકા છે. 

રશિયામાં કોરોનાની રસી નાગરિકો માટે થશે ઉપલબ્ધ
 કોરોના વાયરસ (Corona Virus) ના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યાં છે. આ અઠવાડિયાથી વાયરસ વેક્સિન સ્પૂતનિક-વી  (Sputnik-V)ને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન(Vladimir Putin)એ 11 ઓગસ્ટના રોજ આ રસીને લોન્ચ કરી હતી. 

રશિયાની એજન્સી TASSના જણાવ્યાં મુજબ રશિયન એકેડેમી ઓફ સાયન્સના ડેપ્યુટી ડાઈરેક્ટર ડેનિસ લોગુનોવ (Denis Logunov)એ જણાવ્યું કે સ્પૂતનિક-વી રસીને સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી બાદ વ્યાપક ઉપયોગ માટે છૂટ અપાશે. મંત્રાલય આ રસીના ટેસ્ટ થોડા દિવસમાં શરૂ કરવા જઈ રહ્યું છે અને અમે જલદી તેની મંજૂરી મેળવી લઈશું. નોંધનીય છે કે આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરી છે. 

પ્રાપ્ત કરવી પડશે મંજૂરી
લોગુનોવે કહ્યું કે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેચને અધિકૃત કરવાની એક પ્રક્રિયા છે. રસીએ મેડિકલ વોચડોગ  Roszdravnadzor ની ગુણવત્તા તપાસ પાસ કરવી પડશે. 10થી 13 સપ્ટેમ્બર વચ્ચે અમારે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેસને બહાર પાડવા માટેની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ અમે રસીને નાગરિકો માટે બહાર પાડવાની સ્થિતિમાં હોઈશું. રસીનું વિતરણ રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયની દેખરેખમાં કરવામાં આવશે. 

વધુ જોખમવાળાઓને પ્રાથમિકતા
લોગુનોવે કહ્યું કે રસીના વિતરણમાં એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જે વધુ જોખમવાળા સમૂહમાં આવે છે. આ બાજુ ધ લાન્સેટ જર્નલ દ્વારા પ્રકાશિત પરિણામો મુજબ શુક્રવારે સ્પૂતનિક-વીએ એક વધુ પ્રગતિ મેળવી. વેક્સિન પ્રારંભિક તબક્કાના પરિણામોમાં રસી લેનાર તમામમાં એન્ટીબોડી પ્રતિક્રિયા ઉત્પન્ન કરવામાં સફળ રહી. સ્પૂતનિક-વી માટે બે પરીક્ષણ આ વર્ષે જૂન-જુલાઈમાં કરવામાં આવ્યાં હતા અને તેમાં 76 લોકો સામેલ થયા હતાં. નોંધનીય છે કે રસી સ્પૂતનિક-વી નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પૂતનિકના નામ પર રાખવામાં આવ્યું છે. જેને રશિયાએ 1957માં લોન્ચ કર્યું હતું.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news