જો આ ઉપાય કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ પણ ભારત માટે સાબિત થશે વરદાન

ગ્લોબલ વોર્મિગ અને વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાના કારણે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે

જો આ ઉપાય કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ પણ ભારત માટે સાબિત થશે વરદાન

નવી દિલ્હી : ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. હવામાન વિભાગનાં મહાનિર્દેશક કે.જે રમેશનું કહેવું છે કે દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારતીય મહાદ્વીપ ક્ષેત્ર, વરસાદની દ્રષ્ટીએ ગ્લોબલ વોર્મિગથી વધારે પ્રભાવિત નહી થાય. આ સ્થિતી ભારત માટે વરદાન સાબિદ થઇ શકે છે. જો કે પાણીનુ મેનેજમેન્ટ મજબુત કરવું ખુબ જ જરૂરી છે. પ્રોફેશનલી વિશ્વની આ આસન્ન પડકાર પર ડૉ. રમેશ સાથે ભાષાના પાંચ સવાલ અને તેનાં મહત્વનાં પાંચ જવાબ.

SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો
સવાલ - ગ્લોબલ વોર્મિંગની ભારતમાં શું અસર છે ? 
જવાબ - ગત્ત એક સદીથી થયેલા વરસાદ અને દૈનિક તાપમાનનાં કેન્દ્રીય જળ પંચને હાલમાં જ હવામાન વિભાગની તરફથી આપવામાં આવેલા આંકડા પર આધારિત અભ્યાસ રિપોર્ટ જણાવે છે કે ભારતનું સરેરાશ તાપમાનમાં સામાન્ય વધારો થયો પરંતુ વરસાદ પોતાનાં સામાન્ય સ્તર પર યથાવત્ત છે. ગ્લોબલ વોર્મિંગના સંભવિત પ્રયાસના કારણે વરસાદનાં ક્ષેત્રીય વિતરણમાં પરિવર્તન થયું છે. ઉલ્લેખનીય છે કે, વધારે વરસાદવાળા પૂર્વોત્તર ક્ષેત્રમાં ગત્ત થોડા વર્ષોમાં વરસાદનાં પ્રમાણમાં સામાન્ય ઘઠાડો આવ્યો તો રાજસ્થાન જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં વરસાદની માત્રા અપેક્ષાકૃત વધ્યું છે. રાષ્ટ્રીય સ્તર પર વર્ષાજળની ઉપલબ્ધતા યથાવત્ત છે. ભારતમાં ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચક્રવાતી તોફાન, વજ્રપાત, વધારે બરફવર્ષા, ભીષણ ગરમી અને આકરી ઠંડી જેવી ગતિવિધિઓ વધી છે. 

ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ
સવાલ: હવામાનનાં બદલતા મિજાજને જોતા શું ભારત માટે ગંભીર પડકારો પેદા થઇ શકે છે?
જવાબ : આ સ્થિતી ભારત માટે પડકાર પણ છે, અવસર પણ છે અને વરસાદન પણ છે. વૈશ્વિક સ્તર પર રચાયેલી ગ્લોબલ વોર્મિંગ અનંતી અંતર સરકારી સમુહ (આઇપીસીસી)નું અનુમાન છે કે દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપમાં આગામી 50 વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઘટશે કે વધશે, વરસાદનું પ્રમાણ સ્થીર રહેશે. તેમાં ક્યારેય ઘટાડો નહી આવે. એટલા માટે ભારત માટે આ વરદાન છે અને એક અવસર પણ છે કે તત્કાળ પ્રભાવથી વોટર મેનેજમેન્ટને મજબુત કરવું અને સંતુલીત વિતરણનાં વર્તુળમાં લાવવામાં આવે. એવું કરવું ભારત માટે સૌથી મોટો પડકાર સાબિત થશે. 

BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'
સવાલ - ભારત માટે ભવિષ્યનાં આ વરદાનનું શું કારણ છે.
જવાબ - વિશિષ્ટ ભૌગોલીક પરિસ્થિતીનું કારણ છે. ભારતમાં 2000થી 2018 સુધી ગ્લોબલ વોર્મિંગનાં કારણે ગરમી વધી, પરંતુ રણ, હિમાલચ અને સમુદ્રથી ઘેરાયેલા આ ભુભાગમાં વધી રહેલા તાપમાન સાથે વાયુમંડળનો ભેજના મિશ્રણે વરસાદ માટે ઓછા દબાણનાં ક્ષેત્ર અને વિક્ષોભની ઘટનાઓને પણ વધાર્યું જેના કારણે ચક્રવાત, હિમપાત, વજ્રપાત, મુશળધાર વરસાદ, ભીષણ ગરમી અને કડક ઠંડી જેવી હવામાનની ચરમ ગતિવિધિઓ પણ વધી. તેના કારણે વર્ષા જળનાં પ્રમાણમાં ઘટાડો નથી આવ્યો. ઓછામાં ઓછો વરસાદ મુદ્દે આ સ્થિતી ભવિષ્યમાં પણ યથાવત્ત રહેશે. 

યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO
સવાલ - ભારત માટે ગ્લોબલ વોર્મિંગ વરદાન છે તો ચેન્નાઇમાં આ વર્ષે જળસંકટ શા માટે વિકરાળ બન્યું ?
જવાબ - ચેન્નાઇમાં જળ સંકટ વિકરાળ બન્યું છે. અહીની ઓફીસમાં કર્મચારીઓને પોતાનું પીવાનું પાણી લાવવા અને કર્મચારીઓને ઘરે જ કામ કરવા માટે કહેવાની ફરજ પડી છે. ગત્ત વર્ષે હિમાચલ પ્રદેશનાં શિમલામાં પણ પાણી માટે હાહાકાર મચ્યો હતો. આ વરસાદ ઓછો આવવાનાં કારણે નથી. આ પાણીનું અસમાન વિતરણ, અનિત્રીત રીતે પાણીનું દોહન અથવા સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જળના કુપ્રબંધનનું પરિણામ છે. પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી પાણીનાં અસમાન વિતરણને તત્કાલ નહી અટકાવવામાં આવે  આગામી સમયમાં આ સંકટ વ્યાપક બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news