આ ભાજપ અને RSS નો કાર્યક્રમ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપે કોંગ્રેસ

Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામેલ થશે નહીં. 
 

આ ભાજપ અને RSS નો કાર્યક્રમ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપે કોંગ્રેસ

નવી દિલ્હીઃ Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીને લઈને ચાલી રહેલી આશંકાઓ પર વિરામ લાગી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સંપૂર્ણ કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી જવાની ના પાડી દીધી છે. 

કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે ન સોનિયા ગાંધી અને ન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડે આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. આ સાથે લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ હાજરી આપશે નહીં. આ નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિમંત્રણ ઠુકરાવી દીધુ છે. 

— ANI (@ANI) January 10, 2024

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું- પાછલા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટનનું નિમંત્રણ મળ્યું હતું. ભગવામ રામની પૂજા-અર્ચના કરોડો ભારતીય કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય હોય છે, પરંતુ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. 

તેમણે કહ્યું- સ્પષ્ટ છે કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણી લાભ ઉઠાવવા માટે કરવામાં આવી રહ્યું છે. 2019ના માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો સ્વીકાર કરતા તથા લોકોની આસ્થાનું સન્માનમાં શ્રી મલ્લિકાર્જુન ખડગે, શ્રીમતી સોનિયા ગાંધી તથા અધીર રંજન ચૌધરી ભાજપ અને આરએસએસના આ આયોજનના નિમંત્રણનો સન્માન સાથે અસ્વીકાર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news