ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી

અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે.

ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી

નવી દિલ્હી : અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે.

ચંદ્રયાન-2 : વડાપ્રધાને કહ્યું ઐતિહાસિક પળ મુદ્દે ઉત્સાહીત, મમતાએ કહ્યું ગેરમાર્ગે દોરી રહી છે સરકાર
આ ઐતિહાસિક પળનાં થોડા કલાકો પહેલા ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) ચીફ કે. સિવન (K.Sivan) સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, ચંદ્રયાન-2 એવા સ્થળે ઉતરવા જઇ રહ્યું છે, જ્યાં આજ સુધી કોઇ પણ પહોંચી શક્યું નથી. અમે સોફ્ટ લેન્ડિંગ મુદ્દે આશ્વસ્ત છીએ, પરંતુ એક સામાન્ય ઉત્સાહ સાથેનો ઉચાટ હોય તેવો સામાન્ય ઉચાટ છે. અમે ખુબ જ આતુરતાથી રાતની રાહ જોઇ રહ્યા છીએ.

વિજ્ઞાન સાથે આસ્થા: ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે મંદિરોમાં ચાલી રહી છે પુજા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 (Chandrayaan - 2) નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહેશે તો આ એક રેકોર્ડ હશે. અગાઉ રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત આ સફળતા પ્રાપ્ત કરનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. સાથે જ ભારત ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ પણ બની જશે.

ચંદ્રયાન-2 : જાણો ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ
વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.

ચંદ્રયાન-2: દુનિયાના સુપરપાવર ગણાતા દેશો જે નથી કરી શક્યાં, તે કરવા જઈ રહ્યું છે ભારત 
વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સંશોધનથી અહીં માહિતી મળશે કે આખરે ચંદ્રની ઉત્પતી અને તેની સંરચના કઇ રીતે થઇ. આ ક્ષેત્રમાં ખુબ જ ઉંડા ખાડાઓ છે. અહીં ઉત્તરી ધ્રુવની અપેક્ષાઓ ખુબ જ ઓછુ સંશોધન થયું છે. દક્ષિણ ધ્રુવનાં હિસ્સામાં સોલાર સિસ્ટમની શરૂઆતનાં દિવસનાં જીવાષ્મ હોવાની હાલની સંભાવનાઓ છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું મેપિંગ પણ કરશે. તેના કારણે તેના તત્વો અંગે પણ માહિતી મળશે. ઇસરોનાં અનુસાર તેની પ્રબળ સંભાવના છે કે દક્ષિણ ધ્રુવ પર પાણી પણ મળી શકે.

ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ 
ઇસરો આજે મોડી રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવન પર પોતાનું લેન્ડર વિક્રમ ઉતારશે, તે અનેક રીતે મહત્વનું છે. અહીં અનેક મોટા ખાડાઓ છે. આ હિસ્સા પર સૌર મંડળમાં રહેલ મોટા ખાડાઓ (ક્રેટર)માંથી એક મોટો ખાડો અહીં આવેલો છે. તેનું નામ સાઉથ પોલ આઇતકેન બેઝીન છે. તેની પહોળાઇ 2500 કિલોમીટર અને ઉંડાણ 13 કિલોમીટર છે. ચંદ્રનાં આ હિસ્સામાં માત્ર 18 ટકા ભાગને પૃથ્વી પરથી જોઇ શકાય છે. બાકીનો 82 ટકા હિસ્સાની તસ્વીર પહેલી વાર સોવિયત સંઘના લુના-3 યાન દ્વારા 1959માં મોકલાઇ હતી. ત્યારે આ હિસ્સો પહેલીવાર દેખાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news