અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 

અયોધ્યા કેસ: જાણો સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મુસ્લિમ પક્ષને શું મળ્યું...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં પોતાનો ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ખાસ વાતો- 
- મુસ્લિમ પક્ષોના પુરાવાથી તે સાબિત ન કરી શક્યા કે વિવાદિત જમીન પર તેમનો એકાઅધિકાર હતો.
- Ayodhya Verdict: CJI એ કહ્યું કે ખોદકામમાં ઇસ્લામિક ઢાંચાના પુરાવા ન મળ્યા.
- મુસ્લિમ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે આ જગ્યા પર બાબરી મસ્જિદ બનતાં પહેલાં તેમનો અધિકાર હતો. 
- ASI ના રિપોર્ટને નકારી ન શકાય. ASI ના રિપોર્ટમાં 12મી સદીના મંદિરના પાત્ર મળ્યા.
- Ayodhya verdict: CJI એ કહ્યું, વિવાદિત જમીનની વહેંચણી ન કરી શકાય.
- ASI ની રિપોર્ટથી સાબિત થાય છે મસ્જિદ ખાલી જમીન બનાવવામાં આવી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news