ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં ગૌશાળાની પાસે ઝુપડપટ્ટીમાં ભીષણ આગ, 50 જેટલી ગાયોના મોત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી મોટા સમાચાર આવી રહ્યાં છે. અહીંના ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં આવેલી ગૌશાળામાં 50 જેટલી ગાયોના મોત થયા છે. 

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં ગૌશાળાની પાસે ઝુપડપટ્ટીમાં ભીષણ આગ, 50 જેટલી ગાયોના મોત

ગાઝિયાબાદઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી દુખદ સમાચાર આવી રહ્યાં છે. જિલ્લાના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયંકર હતી કે થોડીવારમાં પાસે બનેલી એક ગૌશાળા સુધી પહોંચી ગઈ. ગૌશાળાની 50થી વધુ ગાયો આગની ઝપેટમાં આવી ગઈ અને સળગીને ગાયોના મોત થયા છે. 

ભીષણ આગને કારણે અફરાતફરી
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગી છે. આગનું ભયાનક સ્વરૂપ જોઈને ત્યાં રહેલા લોકોમાં અફરા-તફરી જોવા મળી હતી. ઝુપડપટ્ટીઓમાં લાગેલી ભીષણ આગને કારણે લોકો ભોગદોડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં ઝુપડપટ્ટીમાં રહેલા નાના સિલિન્ડર પણ આગ લાગવાને કારણે બ્લાસ્ટ થઈ ગયા. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. 

ફાયરની ગાડીઓ પહોંચી
ગૌશાળાના સંચાલકે જણાવ્યું કે તેમની ગૌશાળામાં ઘણી ગાયો હતો, જે આગની ઝપેટમાં આવી ગઈ. અનેક ગાયોના સળગીને મોત થયા છે. ઘટનાની માહિતી મળતા ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો નિર્દેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીર ઘટનાને જોતા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ 24 કલાકમાં તમામ પીડિતોને સંભવ મદદ પહોંચાળવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે. આ સાથે મુખ્યમંત્રી યોગીએ તંત્રને ઘટનાસ્થળે પહોંચી સ્તિતિનું નિરીક્ષણ કરી મદદ કરવાનું પણ કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news