Corona: 30 રાજ્યોમાં એક સપ્તાહથી કેસમાં સતત ઘટાડો, સરકારે કહ્યું- આ પોઝિટિવ ટ્રેન્ડ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

Corona: 30 રાજ્યોમાં એક સપ્તાહથી કેસમાં સતત ઘટાડો, સરકારે કહ્યું- આ પોઝિટિવ ટ્રેન્ડ

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે એપ્રિલ મહિનામાં ખુબ તબાહી મચાવી હતી. હવે આ લહેર ખાત્મા તરફ આગળ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ સામે આવી રહેલા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આંકડા જોઈને લાગે છે કે બીજી લહેરની પિક પૂરી થઈ ગઈ છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો હજુ એલર્ટ છે અને લૉકડાઉનમાં એક સાથે છૂટ આપી રહી નથી. છેલ્લા એક સપ્તાહથી 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 28 મેથી દરરોજ નવા કેસની સંખ્યા બે લાખથી નીચે રહી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,000 કેસ સામે આવ્યા છે. 28 મેથી નવા કેસ બે લાખની નીચે રહ્યાં છે. સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લવ અગ્રવાલે કોરોનાના આંકડાની જાણકારી આપતા કહ્યું- કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા દરરોજ નોંધાતા કેસ કરતા વધુ છે. 92 ટકા રિકવરી રેટની સાથે એવરેજ ટેસ્ટિંગની સંખ્યા 20 લાખે પહોંચી ગઈ છે. 

— ANI (@ANI) June 1, 2021

એક દિવસમાં 1,27,510 નવા દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,55,287 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,59,47,629 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ધીરે ધીરે કોરોનાથી થતા મોતનો આંકડો પણ ઘટતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2795 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,31,895 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 21,60,46,638 રસીના ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news