Health: પુરુષોએ રોજે કરવું જોઈએ આ ડ્રાયફ્રુટનું સેવન, બેડ પરની મસ્તી થઈ જશે ડબલ!

જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે સૂકા મેવાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ ડ્રાય ફ્રુટ્સમાં આવો જ એક ખોરાક છે, જે તમને ઘણા ચમત્કારી લાભો પૂરા પાડે છે. જાતીય સમસ્યાઓ, ડાયાબિટીસ, નબળા હાડકાં અને મગજની ક્ષમતાથી પરેશાન પુરૂષો માટે અખરોટનું સેવન નિશ્ચિત સારવાર માનવામાં આવે છે. અખરોટ ખાવાની સાચી રીત અને ફાયદા આયુર્વેદમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે.

Health: પુરુષોએ રોજે કરવું જોઈએ આ ડ્રાયફ્રુટનું સેવન, બેડ પરની મસ્તી થઈ જશે ડબલ!

નવી દિલ્લીઃ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે સૂકા મેવાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ ડ્રાય ફ્રુટ્સમાં આવો જ એક ખોરાક છે, જે તમને ઘણા ચમત્કારી લાભો પૂરા પાડે છે. જાતીય સમસ્યાઓ, ડાયાબિટીસ, નબળા હાડકાં અને મગજની ક્ષમતાથી પરેશાન પુરૂષો માટે અખરોટનું સેવન નિશ્ચિત સારવાર માનવામાં આવે છે. અખરોટ ખાવાની સાચી રીત અને ફાયદા આયુર્વેદમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે.

ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે. અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. અખરોટના નિયમિત સેવનથી આયુષ્યમાં વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે.

અખરોટ ખાવાનો સમય જાણો:
અખરોટમાં ફાયબર, ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે. અખરોટનું સેવન કરવા માટે, દરરોજ રાત્રે એક વાટકી પાણીમાં 2 અખરોટની પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને ખાલી પેટ ખાઓ.

અખરોટથી પુરુષોને થતાં ફાયદા જાણો:
1- રોજ પલાળેલા 2 અખરોટ ખાવા એ પુરુષોના શુક્રાણુ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ દવા છે. તે પુરુષોની પ્રજનન ક્ષમતામાં પણ વધારો કરે છે. તે નબળી ગુણવત્તા અને વીર્યની ઓછી સંખ્યાની સમસ્યાને દૂર કરી શકે છે.
2-નિષ્ણાતોના મતે, હાઈ સુગરથી પીડાતા પુરુષો માટે અખરોટનું સેવન ખૂબ ફાયદાકારક છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે અખરોટ લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
3- અખરોટનું સેવન નબળા હાડકાં માટે ઉપચાર માનવામાં આવે છે. તે આલ્ફા-લિનોલેનિક એસિડ, કેલ્શિયમ અને મેંગેનીઝથી સમૃદ્ધ છે. જે હાડકાઓની નબળાઈને કારણે થતા ઓસ્ટીયોપોરોસિસ રોગનું જોખમ ઘટાડે છે અને હાડકાં મજબૂત બનાવે છે.
4- અખરોટ પુરુષોના હૃદય માટે પણ ફાયદાકારક છે. કારણ કે, તેમાં રહેલા પોષક તત્વો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી રાહત આપે છે. કોલેસ્ટરોલ અને હાઈ બ્લડ પ્રેશર હૃદયની તમામ સમસ્યાઓનું મુખ્ય કારણ છે.

મહિલાઓ માટે પણ છે અખરોટ ફાયદારૂપ:
મહિલાઓને દરરોજ 2 અખરોટ ખાવાના ફાયદા પણ મળે છે. કારણ કે, એવું માનવામાં આવે છે કે અખરોટમાં હાજર પોલીફેનોલ ઇલાગિટાનિન સ્તન કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. તે જ સમયે, ગર્ભાવસ્થા દરમિયાન અખરોટનું સેવન બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. જો કે, ગર્ભાવસ્થા દરમિયાન કંઈપણ ખાતા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

અખરોટ ખાવાના અન્ય ફાયદાઓ:
1-તણાવ ઓછો કરે છે.
2-ઉંઘ સારી બનાવે છે.
3-મનને તીવ્ર બનાવે છે.
4-વજન ઘટાડવામાં મદદ કરે છે.
5-કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
6- રોગ પ્રતિકારક શક્તિ વધારીને, તે ઘણા રોગો અને ચેપથી રક્ષણ આપે છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news