GUJARAT CORONA UPDATE: સાવધાન મિત્રો! ગુજરાતમાં શું ફરી કોરોના લાશો બિછાવશે! જાણો આજનો કુલ કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5321 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,46,972 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE: સાવધાન મિત્રો! ગુજરાતમાં શું ફરી કોરોના લાશો બિછાવશે! જાણો આજનો કુલ કેસ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 678 નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1082 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ચાર દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5321 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,46,972 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,985 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 189 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. જ્યારે વડોદરા કોર્પોરેશન 61, ગાંધીનગર 41, સુરત કોર્પોરેશનમાં 35, વડોદરા 33, ગાંધીનગર કોર્પોરેશન 28 કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત થયું છે. અમરેલીમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 26, મોરબી 25, રાજકોટ 24, મહેસાણા 23, સુરત 22, કચ્છ 17, સાંબરકાંઠા 17, ભરૂચ 15, નવસારી 13, પંચમહાલ 10, વલસાડ 9, પોરબંદર 8, બનાસકાંઠા 7, જામનગર કોર્પોરેશનમાં 7, અમદાવાદ 6, ભાવનગર કોર્પોરેશન 6, ખેડા 6, આણંદ 4, જામનગર 4, અરવલ્લી 3, મહીસાગર 3, ભાવનગર 2, ગીર સોમનાથ 2, પાટણ 2, દાહોદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 એમ કુલ 678 કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,93,177 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 824 ને રસીનો પ્રથમ અને 2215 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 117 ને રસીનો પ્રથમ અને 156 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 16494 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 421 ને રસીનો પ્રથમ અને 937 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,72,013 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,93,09,087 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news