જનનીની જોડ સખી નહી જડે રે લોલ! પુત્રના સ્વાસ્થય માટે સળગતી આગમાં પુત્રની લટ લઇને દોટ મુકે છે

જનેતાની મમતા ઇતિહાસના પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ. કહેવાય છે કે, માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે  આવી જ એક પરંપરા આજે પણ યથાવત રહી છે. જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ માતાઓ દોટ મુકે છે. 

જનનીની જોડ સખી નહી જડે રે લોલ! પુત્રના સ્વાસ્થય માટે સળગતી આગમાં પુત્રની લટ લઇને દોટ મુકે છે

પાટણ : જનેતાની મમતા ઇતિહાસના પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ. કહેવાય છે કે, માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે  આવી જ એક પરંપરા આજે પણ યથાવત રહી છે. જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ માતાઓ દોટ મુકે છે. 

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે. આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમાં જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા હોળીની ઝેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે, બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે. બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે ત્યાર બાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે.

ચૌધરી સમાજની બહેનો આ ઉત્સવ માં જોડાય છે. ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે. આ પ્રસાદ તમામ ઘરે આપવામાં આવે છે જે મહિલાને ઝેમ હોય છે તે મહિલાને ગોગાબાપજીના મંદિરે દર્શન કરવાના હોય છે. ત્યાર બાદ તમામ ઉપવાસ ધારી મહિલાઓ મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે. જ્યાં તેમની પાંસલી ભરાવવામાં આવે છે. પુજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે. બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતા જ મહિલાઓ ધોમધખતા તડકામાં ઉઘાડા પગે માર્ગપર દોટ મુકે છે. આ દોડ પાછળની એક લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ સારૂ રહે છે, તેના માટે મહિલાઓ આ પરંપરાને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખી છે. જેમાં ચાલુ સાલે ગામની 8 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ પરંપરામાં પોતાના પુત્ર માટે ભાગ લીધો છે.

ગોગા મહારાજના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લગભગ એક કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણત્રીની મીનીટોમાં જ પૂરી કરી દે છે. જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે, ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ ઝેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે. જોકે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે તેવી પણ એક માન્યતા રહેલી છે, બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પુજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બાદમાં આ શ્રદ્ધા આ દોડ પૂર્ણ માનવામાં આવે છે.

એટલે જ કહેવાય છે ને કે દુનિયા ભલે ટેકનોલોજી પર ચાલતી હોય પરંતુ આજે પણ આસ્થા સાથે ચાલનારા લોકોની કમી નથી. આમ તો સાયન્સ અને વિજ્ઞાનના આ આધુનિક  યુગમાં બાળકો  માતાજીના આશીર્વાદથી તંદુરસ્ત રહે તે વાત ગળે ઉતારવી જરા મુશ્કેલ જરૂરી છે પરંતુ શ્રદ્ધા આગળ સાણપણ વામણા પુરવાર થાય છે. તે ચોક્કસ છે અને આ પ્રકારની અનોખી પ્રથા જોવા માટે ગામની દીકરીઓ પણ બહાર ગામથી માત્ર આજના દિવસની પ્રથા જોવા આવે છે. પ્રથા નિભાવનાર માતાઓનો ઉત્સાહ વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news