વલસાડના અંભેટી ગામનો તલાટી 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

વલસાડ જિલ્લાના અંભેટી ગામના તલાટી કમ મંત્રીએ ખેતીની જમીનને બિન ખેતી કરવા માટે લાંચ માંગી હતી. 

વલસાડના અંભેટી ગામનો તલાટી 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

વલસાડઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુલાના અંભેટી ગામમાં એક તલાટી લાંચ લેતો ઝડપાયો છે. અહીં એક વ્યક્તિએ ખેલી લાયક જમીનને બિન ખેતી કરવા માટે અરજી કરી હતી. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીએ દાખલો આપવા માટે લાંચની માંગ કરી હતી. ત્યારબાદ આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવીને તલાટીને ઝડપી પાડ્યો હતો. 

પ્રાપ્ત વિગત અનુસાર વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રહેતા એક વ્યક્તિએ ખેતીની જમીનને બિન ખેતીમાં બદલવા માટે દાખલો મેળવવા અરજી કરી હતી. ત્યારે અંભેટી ગામના તલાટી કમ મંત્રી સ્નેહલ જેસિંગ પટેલે અરજી કરનાર પાસે 30 હજારની લાંચની માંગ કરી હતી. જેમાંથી તલાટીએ 20 હજાર રૂપિયા સ્વીકારી લીધા હતા. ત્યારબાદ બાકીના 10 હજાર 6 એપ્રિલે આપવાનું કહ્યું હતું. 

ત્યારબાદ અરજદારે બાકીના 10 હજાર રૂપિયા આપવાના બાકી હોય એટલે એન્ટી કરપ્શન બ્યૂરોમાં તલાટી મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અરજદારની ફરિયાદને આધારે એસીબીએ તલાટીને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. ત્યારબાદ એસીપીએ લાંચ લેતા તલાટી મંત્રીને ઝડપી લીધો હતો. અંભેટી ગામના તલાટી કમ મંત્રીને ઝડપીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news