સુરત: લોકડાઉનમાં બહાર નીકળતા લોકો પર પોલીસની કાર્યવાહી, ડંડાથી ફટકાર્યા

કોરોના વાયરસ ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે આથી સ્થિતિ આગળ જતા જો જનતા ગંભીરતાથી નહીં લે તો વિકટ બની શકે છે. ત્રીજા સ્ટેજમાં કોરોના વાયરસ ઝડપથી સ્પ્રેડ થાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓને બાદ કરતા બધુ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ લાગે છે કે લોકો આ લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી અને ઘર બહાર નીકળી રહ્યાં છે. લોકોને લોકડાઉનમાં ઘરમાં જ રહેવા માટે તાકીદ કરાઈ છે છતાં બહાર નીકળેલા લોકો પર સરકાર પણ કાર્યવાહી કરવા વિવશ થઈ ગઈ છે. સુરતમાં પોલીસે ઘણું સમજાવવા છતાં જે લોકો નથી સમજી રહ્યાં તેમના પર કાર્યવાહી કરવા માંડી છે. પોલીસે લોકોને ડંડા ફટકાર્યાં. 

સુરત: લોકડાઉનમાં બહાર નીકળતા લોકો પર પોલીસની કાર્યવાહી, ડંડાથી ફટકાર્યા

ચેતન પટેલ, સુરત: કોરોના વાયરસ ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે આથી સ્થિતિ આગળ જતા જો જનતા ગંભીરતાથી નહીં લે તો વિકટ બની શકે છે. ત્રીજા સ્ટેજમાં કોરોના વાયરસ ઝડપથી સ્પ્રેડ થાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓને બાદ કરતા બધુ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ લાગે છે કે લોકો આ લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી અને ઘર બહાર નીકળી રહ્યાં છે. લોકોને લોકડાઉનમાં ઘરમાં જ રહેવા માટે તાકીદ કરાઈ છે છતાં બહાર નીકળેલા લોકો પર સરકાર પણ કાર્યવાહી કરવા વિવશ થઈ ગઈ છે. સુરતમાં પોલીસે ઘણું સમજાવવા છતાં જે લોકો નથી સમજી રહ્યાં તેમના પર કાર્યવાહી કરવા માંડી છે. પોલીસે લોકોને ડંડા ફટકાર્યાં. 

લોકડાઉનના ભંગ પર CM રૂપાણીની આકરી પ્રતિક્રિયા
સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 30 કેસ નોંધાયા છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 29 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છમાં લોકડાઉન જાહેર કરાયેલ છે. પરંતુ આમ છતાં લોકડાઉનનું ચુસ્તપણે લોકો પાલન કરી રહ્યાં નથી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને ખાસ અપીલ કરી. તેમણે કહ્યું કે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે 31મી માર્ચ સુધી એક્સપોર્ટ લોકો એમ કહે છે કે કોરોનાનો વ્યાપ વધશે. એટલા જ માટે રાજ્ય સરકારે અમદાવાદ કે જ્યાં 13 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં આપણે lockdown કર્યું છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે lockdown નો મતલબ માત્ર વેપાર ધંધા બંધ નહીં પણ બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે. સ્વાભાવિક છે આ બધી વસ્તુ નવી છે આપણા મનને આપણે કેળવવું પડશે. હજુ તો ગઈકાલથી આ લડાઈમાં શરૂઆત થઈ છે. લોકો એમ માને કે ગઈકાલનું પત્યું એટલે પતી ગયું. ના માને તો ચાલે પણ ગઈકાલે 18 કેસ હતાં જે આજે ત્રીસ કેસ થયા છે. ન્યૂયોર્કમાં એક જ દિવસમાં પાંચ હજાર કેસ આવ્યા છે. આનો એક જ ઉકેલ છે સોશિયલ distance . કોઈને મળવું જ નહીં આજ તેનો ઉકેલ છે.

ખાસ જુઓ આ VIDEO

લોકોએ પોલીસ સાથે મગજમારી ન કરવી-રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં 30 કેસ થયા છે. લોકોએ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. પોલીસ ગાડીને રોકે છે. પોલીસ કામગીરી કરવી પડે. જો કોરોનાનો વ્યાપ વધશે તો પછી પસ્તાવાનો વારો આવશે.મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરી કે 31મી માર્ચ સુધી કુટુંબ સાથે રહો. કુટુંબ સાથે રહેવાનો ભગવાને આ સમય આપ્યો છે એ પ્રકારે પરિવાર સાથે રહીએ. ઘરની બહાર સ્વયંભૂ રીતે ન નીકળવું. ઘણા લોકો ફરવા નીકળી પડે છે આવું થશે તો કોરોના વધારે થશે સ્વયં શિસ્ત જાળવવી.

તેમણે કહ્યું કે લોકો બિનજરૂરી હેરફેર બંધ કરે. પોલીસને કડક પગલાં લેવાની સૂચના અપાઈ છે. કોઈ વ્યક્તિ પોલીસ સાથે મગજમારી ન કરે. બિનજરૂરી આવવા-જવાનું મળવાનું આ બધાને રોકવું પડશે. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની ઘટ ન પડે. દૂધ અનાજ જે મળે છે એ રીતે જ મળશે. શાકભાજી પણ મળશે. મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની છૂટ આપી છે બેન્કિંગ પણ ચાલુ છે. સવાલ માત્ર આઠ દસ દિવસ બધાએ ભેગા થઈને જાળવી રહીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news