ભુજનો રુદ્રમાતા બ્રિજ અચાનક બંધ; વૈકલ્પિક રુટને લઇ લોકોમાં નારાજગી, ટ્રકોની લાગી લાંબી કતારો લાગી!

કચ્છના પાટનગર ભુજને જોડતા માર્ગ પરનો રૂદ્રમાતા પુલ જર્જરીત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગઇકાલે સાંજે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભુજનો રુદ્રમાતા બ્રિજ અચાનક બંધ; વૈકલ્પિક રુટને લઇ લોકોમાં નારાજગી, ટ્રકોની લાગી લાંબી કતારો લાગી!

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો રૂદ્રમાતા પુલ જર્જરિત થઇ ચૂક્યો છે. જેના સમારકામની વારંવાર માગણી થઇ રહી હતી. ત્યારે હવે વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને ટ્રકો સહિત કચ્છના સરહદી વિસ્તાર ખાવડા અને કચ્છના પાટનગર ભુજને જોડતા માર્ગ પરનો રૂદ્રમાતા પુલ જર્જરીત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગઇકાલે સાંજે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યા સુધી પુલનુ રીપેરીંગ પુર્ણ ન થાય ત્યા સુધી ખાવડાથી આવતા વાહનો માટે વૈકલ્પીક રસ્તાઓ પરથી પસાર થવા માટે જણાવવામાં આવ્યું હતું. 

ગઇકાલે વહીવટીતંત્ર દ્વારા બહાર પાડેલા નોટીફીકેશન બાદ આજે ખાવડાથી ભુજ વચ્ચે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. આ માર્ગ પર એક તરફ કચ્છના ખાવડા નજીક આવેલા મીઠાં ઉદ્યોગ અને બીજી તરફ સોલાર પ્રોજેક્ટને કારણે દરરોજની હજારો વાહનોની અવરજવર આ રસ્તા પર થતી હોય છે. ત્યારે તંત્રએ જાહેરનામુ બહાર પાડી દેતા આજે સવારથી આ માર્ગ પર ભારે વાહનોને આ બ્રિજ પરથી અવરજવર કરવા માટે મનાઈ ફરમાવામાં આવી હતી અને ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. 

રૂદ્રમાતા બ્રીજ બંધ કરાતાં ખાવડાથી-લોરીયા ચેકપોસ્ટ વચ્ચે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે અને ટ્રકોની લાંબી કતારો લાગી હતી. વહીવટી તંત્રએ ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો થતા અને અચાનક નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. 

ઉલ્લેખનિય છે કે હાલમાં જ ભુજ-ખાવડ઼ા માર્ગને નવો બનાવવામાં આવ્યો છે. હાલમાં પુલના રીપેરીંગનું કામ ચાલુ છે ત્યારે અચાનક નિર્ણયથી ટ્રાન્સરપોર્ટ ઉદ્યોગને મોટુ નુકશાન થઈ શકે છે કારણ કે નિયત કરેલા ભાડામા વધારો થશે નહી અને ખાવડાથી નખત્રાણા થઇ ફેરો થતો હોવાથી 40થી90 કિ.મી જેટલુ વધારાનુ અંતર કાપવુ પડશે. હાલમાં નિમાયેલ પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના સભ્યોએ તંત્રના અચાનક નિર્ણય સામે ઉદ્યોગને લાખો રૂપીયાના નુકશાનીના દાવા સાથે વહીવટી તંત્ર સમક્ષ નારાજગી દર્શાવી હતી. 

પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના ઉપપ્રમુખ વિરમ આહિરે જણાવ્યુ છે કે" ખાવડા નજીક તંત્રએ અચાનક લીધેલા નિર્ણયથી 1200 જેટલી ટ્રકો ઉભી રહી ગઇ છે અને તેનો યોગ્ય રસ્તો તંત્રએ શોધવો જોઇએ
આજે સવારથી ટ્રકો ઊભી રહી જતા ટ્રાન્સપોર્ટ ઉધોગને લાખોની નુકસાની જઈ રહી હોવાની વાત કચ્છના સાંસદ વિનોદ ચાવડાને કરવામાં આવી હતી જેના પગલે હાલમાં સાંસદની કલેકટર સાથે વાત થઈ હતી અને હાલમાં આજે ઊભા રાખવામાં આવેલા ટ્રકોને માર્ગ પરથી પસાર થવા દેવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news