રાજકોટ પોલીસનું જાહેરનામુ: સરઘસ અને જાહેરસભા કરનાર સામે થશે ફરિયાદ

આતંકી હુમલા બાદ ગુજરાતમાં પ્રથમ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સોમવારે કલમ ૩૭(૩) મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે આગામી 1 માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.
 

રાજકોટ પોલીસનું જાહેરનામુ: સરઘસ અને જાહેરસભા કરનાર સામે થશે ફરિયાદ

રક્ષિત પંડ્યા/રાજકોટ: આતંકી હુમલા બાદ ગુજરાતમાં પ્રથમ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સોમવારે કલમ ૩૭(૩) મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે આગામી 1 માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.

આગામી શિવરાત્રી , હોળી , ધૂળેટી , રામનવમી સહીતના તહેવારોને ધ્યાનમાં રાખી આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ સ્થળ પર 4 થી વધુ લોકો એક સાથે એકઠા થઇ શકશે નહિ અને જાહેરસભા કે સરઘસ મંજુરી વગર કરી શકશે નહિ. આ બે મહિના દરમિયાન જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગંદી ગટર બનેલી તાપી નદી હવે થશે શુદ્ધ, એક પણ સવાલ પૂછ્યા વિના કેન્દ્રએ આપી લીલીઝંડી

જાહેરનામું બહાર પાડ્યા બાદ જો કોઇ વ્યક્તિ દ્વારા તેનો ભંગ કરવામાં આવે તો ગુજરાત પોલીસ અધિનિયમ ૧૩૫(૩) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, પોલીસ દ્વારા આતંકી હુમલા બાદ શહેરમાં ચેકિંગ પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે. તથા આઇબી દ્વારા ગુજરાતમાં આપવામાં આવેવા એલર્ટને લઇને પણ આ જાહેરનામું બહાર પાડ્યું હોવાનું માનવમાં આવી રહ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news