હવે વટનો સવાલ! નવઘણજીએ સંભળાવી દીધું, બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ટ્રેલર છે, 2027માં પિક્ચર આવશે

Gujarat Politics : બનાસકાંઠામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન પર અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવધણજી ઠાકોરે જવાબ આપતા રાજકારણ ગરમાયું
 

હવે વટનો સવાલ! નવઘણજીએ સંભળાવી દીધું, બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ટ્રેલર છે, 2027માં પિક્ચર આવશે

Banaskantha News : લોકસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક પર જીતથી કોંગ્રેસની બાજી પલટાઈ છે. બનાસકાંઠામાં જીતથી ગુજરાત કોંગ્રેસ ચર્ચામાં આવ્યું છે. આ કારણે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હાલ બનાસકાંઠામાં બે નેતાઓ સામસામે આવ્યા છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાબતે રાજકારણ શરૂ થયું છે. શિવાભાઈ ભુરિયાના નિવેદનનો જવાબ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આપ્યો છે. આ સાથે જ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર સામસામે આવ્યું છે. 

નવધણજી ઠાકોરનો શિવાભાઈ ભુરિયાને જવાબ
અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે જવાબ આપતા કહ્યું કે, શિવાભાઈ ભુરીયાને 2017ની ચૂંટણીમાં દિયોદરમાં ઠાકોર સમાજે જીતાડ્યા હતા. શિવાભાઈ ભુરિયાને મત આપતી વખતે ઠાકોર સમાજે તમને નહોતું પૂછ્યું કે તમે ચૌધરી છો તો મત ન અપાય. શિવાભાઈ ભુરિયા જેવા કોમવાદી તત્વો જાતિવાદી કીડાઓ સમાજોની એકતામાં સળી ચાંપવાનું કામ કરે છે. બનાસકાંઠાનું રિઝલ્ટ અમારું ટ્રેલર છે, 2027માં પિક્ચર આવશે. બનાસકાંઠામાં ગેનીબેનની જીતમાં સર્વ સમાજનો સહયોગ છે. 2027માં ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ અને વિકાસથી વંચિત સમાજો ભેગા થઈને વિધાનસભાની 111 સીટો લાવી ગુજરાતમાં સરકાર બનાવશું.

શિવાભાઈએ શું કહ્યું હતું...
તાજેતરમાં બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આંજણા સમાજની ગંગાથાળીના પ્રસંગ યોજોયો હતો. જેમાં દિયોદરના પૂર્વ ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ કહ્યું હતું કે, પરથી ભટોળ અને વિપુલ ચૉધરી બંને વઢયા અને ફેડરેશન ગુમાવ્યું. આવી ઘણી બાબતો સમાજે વિચારવાની જરૂર છે. 85 ની ચૂંટણી યાદ છે, બે ગાડીઓ પોલીસની આગળ અને પાછળ હતી ત્યારે પ્રચાર કરવા નીકળી શકતા. અમરસિંહ ચૉધરીની સરકાર હતી અને પરબતભાઈએ રજુઆત કરી અને તેમ બધાં જાગૃત થયા છો. આપણે એવા છીએ કે આપણા સમાજ માંથી કોઈ નિવૃત્ત થઈ જાય તો આપણે એ બાજુ ટકતાય નથી અને જો કોઈ દબાવે તો આપણે રવાના થઈ જવા તૈયાર થઈ જઈએ છીએ. સમાજની વાત આવે તો બધાએ એક થઈને એકતા રાખીને સમાજનું કામ કરવું ખુબજ જરૂરી છે. હું કોઈથી ડર્યો નથી જેને પણ કહેવું હોય એ મોઢા ઉપર કીધું છે. 

આમ, વિધાનસભાની ચૂંટણીને લઈને શિવાભાઈ ભુરિયાનું દર્દ છલકાયુ હતું. તેમણે આગળ કહ્યું હતું કે, આ શંકરભાઇ અને પરબતભાઈ બેઠા છે હું કહું છું કે હવે જો આંજણા સમાજની એકતા ન રહી તો બનાસકાંઠામાં આપણે ભોગવવાનો વારો આવશે. મને ઘણા લોકો કહે છે કે તમે ભાજપમાં આવતા રહો તો હું કહું કે કોંગ્રેસનો જમાનો એવો હતો કે ઇન્દિરા ગાંધી સામે કોઈ બોલવા વાળું ન હતું અને ફરીથી એવો જમાનો આવશે. હું બે વખત વિધાનસભા લડ્યો અને કણબીઓના 10 હજાર વોટ કેશાજીને આપ્યા અત્યાર સુધી કહેતો ન હતો હવે કહું છું. રાષ્ટ્રવાદના નામે તને વોટ લીધા હવે વખા માંથી તમે બે વોટ લઈ આવો તો ખબર પડે. રાષ્ટ્રવાદ અલગ છે અને સમાજ અલગ છે એટલે સમાજે એક થઈને પરિણામ લાવવું જોઈએ. 

શિવભાઈએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કેશાજી ચૌહાણે ક્યાં રેખાબેન ચૉધરીનું નામ નથી લીધું બસ ભાજપને વોટ આપજો તેવું કહ્યું. તો શું કોઈએ કેશાજીનો ફેર પાડ્યો. માવજીભાઈ ધાનેરા માંથી જીત્યા તો શું ફેર પાડ્યો. આ વખતે બધા રબારી સમાજના ભાજપમાં ન રહ્યા અને કોંગ્રેસમાં જતા રહ્યા શું રબારીઓનો ફેર પાડ્યો. અમે સમાજને કેવી રીતે બહાર લાવ્યો છે એ અમને ખબર છે માટે સમાજે એકતા રાખવી જોઈએ કોઈપણ થાય ઝેર પીને પણ સાથે રહેવું જોઈએ નહીં તો કોઈ તમારો ભાવ નહિ પૂછે. મને ઘણા લોકો કહે કે તમે કોમવાદ કરો છો તો હું એમને કહું છું કે તમે મને કેટલા વોટ આલ્યા એ બોલજો. એક રૂપાલા બોલ્યા અને જાગીરદાર સમાજે ભાજપને એકપણ વોટ ન આપ્યું એ કોમવાદ નથી. આ એક જ થરાદ વિધાનસભા એવી છે કે તમે ચૌધરી તરીકે જીતી શકો બાકી બીજે બધે આપણી લઘુમતી છે, હું કિસ્મતના કારણે જીતી ગયા બાકી હવે બધે ઠાકોરોની બહુમતી છે. અને તમે જે હાલ થરાદમાં જે પ્રવૃત્તિ આદરી છે એ જોતો તમારે પણ 2027માં થરાદમાં જીતવું કાઠું છે. 

આમ, વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૉધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો વચ્ચે શિવાભાઈ ભુરિયાએ બળાપો ઠાલવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news