બનાસકાંઠા : એવું તો શું થયું કે યુવકે માતા-પત્ની-પુત્રને કુહાડીના ઘા મારી એક જ ઝાટકે પતાવી દીધા?

બનાસકાંઠા (Banaskantha) ના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે એક શખ્સે પોતાના પરિવારજનોના 3 લોકોની હત્યા (Murder) કરી મોટો હત્યાકાંડ સર્જ્યો છે. શખ્સે માતા, પત્ની અને પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી છે. આગથળા પોલીસે હત્યારા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

બનાસકાંઠા : એવું તો શું થયું કે યુવકે માતા-પત્ની-પુત્રને કુહાડીના ઘા મારી એક જ ઝાટકે પતાવી દીધા?

બનાસકાંઠા :બનાસકાંઠા (Banaskantha) ના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે એક શખ્સે પોતાના પરિવારજનોના 3 લોકોની હત્યા (Murder) કરી મોટો હત્યાકાંડ સર્જ્યો છે. શખ્સે માતા, પત્ની અને પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી છે. આગથળા પોલીસે હત્યારા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે ભીખાજી તખાજી પનારા નામના શખ્સે પોતાના પરિવારના ત્રણ સદસ્યોની હત્યા કરી છે. ભીખાજીએ તેની માતા, પત્ની તથા બાળકને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવ બાદ મોટી સંખ્યામાં ગામ લોકો તથા સ્વજનો એકઠા થયા હતા. તો બીજી તરફ, સ્વજનોએ ત્રણેયના મોત પર હૈયાફાટ રુદન કર્યું હતું. હાલ પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. જોકે, આ શખ્સે કયા કારણોસર પરિવારના ત્રણ સદસ્યોને મોતને ઘાટ ઉતાર્યા છે તે હજી જાણવા મળ્યું નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news