જનતા કર્ફ્યુ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે આ કામ કરવાનું જરા પણ ન ભૂલતા

આજે સવારે સાતના ટકોરે ગુજરાતભરમાં જનતા કર્ફ્યુ (Janta Curfew) નો પ્રારંભ થયો હતો. સવારે ગુજરાતના દરેક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાત વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવ્યું હતું, જેના બાદ જનતા કર્ફ્યુ શરૂ થયું હતું. ગુજરાતમાં સર્વત્ર લોકો સ્વંય ભૂ જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યાં છે. ગુજરાતના દરેક રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સૂમસાન બની ગયા છે. જે બતાવે છે કે, લોકોમાં કોરોના વાયરસ (corona virus)નો ડર કેવો છે, અને લોકો પોતે જ અવેર થઈ રહ્યાં છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર 5 વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવશે. આ સાયરન કોરોનાના કહેર વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા આપી રહેલા સરકારી કર્મચારીઓને બિરદાવવા માટે વગાડાશે. જેમાં લોકોને પોતાના ઘરની બહાર આવીને તાળી વગાડવાની, થાળી વગાડીને વિકટ સ્થિતિમાં સેવા બજાવી રહેલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યે તમે પણ તમારી ફરજ બજાવવાનું ચૂકતા નહિ. 
જનતા કર્ફ્યુ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે આ કામ કરવાનું જરા પણ ન ભૂલતા

ઝી મીડિયા/બ્યૂરો :આજે સવારે સાતના ટકોરે ગુજરાતભરમાં જનતા કર્ફ્યુ (Janta Curfew) નો પ્રારંભ થયો હતો. સવારે ગુજરાતના દરેક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાત વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવ્યું હતું, જેના બાદ જનતા કર્ફ્યુ શરૂ થયું હતું. ગુજરાતમાં સર્વત્ર લોકો સ્વંય ભૂ જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યાં છે. ગુજરાતના દરેક રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સૂમસાન બની ગયા છે. જે બતાવે છે કે, લોકોમાં કોરોના વાયરસ (corona virus)નો ડર કેવો છે, અને લોકો પોતે જ અવેર થઈ રહ્યાં છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર 5 વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવશે. આ સાયરન કોરોનાના કહેર વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા આપી રહેલા સરકારી કર્મચારીઓને બિરદાવવા માટે વગાડાશે. જેમાં લોકોને પોતાના ઘરની બહાર આવીને તાળી વગાડવાની, થાળી વગાડીને વિકટ સ્થિતિમાં સેવા બજાવી રહેલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યે તમે પણ તમારી ફરજ બજાવવાનું ચૂકતા નહિ. 

રાજકોટમાં જનતા કર્ફ્યુ Updates : પોલીસે રસ્તા પર નીકળીને સ્પીકર પર બહાર ન નીકળવા સૂચના આપી  

સવારે વાગ્યું હતું સાયરન
કોરોનાથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 22 માર્ચના રોજ એક દિવસના જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. આજે રવિવારે લોકો સ્વેચ્છાએ કર્ફ્યૂ પાળી રહ્યાં છે. કોરોના  સામે પોતાનું અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે ભારતના નાગરિકોએ પણ આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ ગુજરાતીઓને જનતા કર્ફ્યૂ પાળવાનો અનુરોધ કર્યો છે. ત્યારે જનતા કરર્ફયુ માટે રાજ્ય સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે. ગુજરાત સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર, સવારે 06:59 મિનિટે એક મિનિટ માટે સાયરન વગાડવામાં આવ્યું હતું. જેના બાદ સવારે 7 વાગ્યાથી જનતા કરફ્યુનો પ્રારંભ થયો હતો. તો રાત્રે 9.00 કલાકે જનતા કરફ્યૂ પૂરો થશે, જેથી 9.00 કલાકે ફરીથી સાયરન વાગશે. રાત્રે સાયરન વાગતા જનતા કરફ્યૂ પૂરો થયેલો કહેવાશે. 

સુરતમાં જનતા કર્ફ્યુ Updates : પ્રધાનમંત્રીની અપીલ રંગ લાવી, બધુ જ બંધ

કર્મચારીઓનું અભિવાદન કરવા બીજુ સાયરન
કરફ્યૂની વચ્ચે સાંજે 4.59 મિનીટે ફરી એકવાર સાયરન વગાડવામાં આવશે. 5 વાગ્યાથી 5.5 મિનીટ સુધી આ સાયરન વગાડાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આ સાયરન સમયે નાગરિકોએ કોરોના વાયરસની જટિસ પરિસ્થિતિ વચ્ચે પણ કામ કરી રહેલા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા વહીવટી તંત્રના અધિકારીઓનું અભિવાદન કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે, આ સાયરન વાગતા લોકો પોતાના અગાશી પર કે ઘરના બારણાએ આવીને તાળી પાડી, સિસોટી વગાડી કે પછી થાળી વગાડીને સેવા બજાવતા કર્મચારીઓનું અભિવાદન કરે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરેક વહીવટી તંત્ર પાસે સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ તથા જિલ્લા કચેરીઓએ સાયરન મૂકાયા છે. સામાન્ય રીતે આ સાયરન મૂકવા પાછળનો હેતુ અસાધારણ પરિસ્થિતિ, કોઈ મહત્વનો મેસેજ શહેરીજનોને આપવા તથા યુદ્ધ જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટેનો હોય છે. સાયરનના દ્વારા લોકોને સતર્ક કરવામાં આવે છે. ગુજરાતમાં ગાંધી નિર્વાણ દિને આ સાયરન સવારે 11.00 કલાકે બે મિનીટ મૌન પાળવા માટે વગાડવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news