RAJKOT માં ગમે તેને ઉભા રાખીને લૂંટી લેતો રીઢો ગુનેગાર ઝડપાયો, સમગ્ર શહેરને બાનમાં લીધું હતું

આનંદબંગલા ચોક નજીક શનિવારે રાત્રે વેપારીને ત્રણ શખ્સોએ છરી બતાવી રોકડ, ચાંદીનો ચેઇન અને મોબાઇલ ફોનની લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. માલવીયાનગર પોલીસે ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા બે સગીરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવરાજસિંહે અન્ય બે શખ્સો મનિષ ઉર્ફ ઢોલકી હરેશ હરિયાણી અને મુળ અમરેલીના પરેશ ઉર્ફ મદારી સાથે મળી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ગોંડલ રોડ પરીન ફર્નિચર વિસ્તારમાં આચરેલી બે લૂંટનો ભેદ ઉકેલાયો હતો. જોકે પોલીસે લૂંટનાં ગુનામાં 2 સગીર સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
RAJKOT માં ગમે તેને ઉભા રાખીને લૂંટી લેતો રીઢો ગુનેગાર ઝડપાયો, સમગ્ર શહેરને બાનમાં લીધું હતું

ગૌરવ દવે/રાજકોટ : આનંદબંગલા ચોક નજીક શનિવારે રાત્રે વેપારીને ત્રણ શખ્સોએ છરી બતાવી રોકડ, ચાંદીનો ચેઇન અને મોબાઇલ ફોનની લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. માલવીયાનગર પોલીસે ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા બે સગીરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવરાજસિંહે અન્ય બે શખ્સો મનિષ ઉર્ફ ઢોલકી હરેશ હરિયાણી અને મુળ અમરેલીના પરેશ ઉર્ફ મદારી સાથે મળી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ગોંડલ રોડ પરીન ફર્નિચર વિસ્તારમાં આચરેલી બે લૂંટનો ભેદ ઉકેલાયો હતો. જોકે પોલીસે લૂંટનાં ગુનામાં 2 સગીર સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહીલ અને મનિષ ઉર્ફે ઢોલકી હરીયાણી નામના આ બન્ને શખ્સો પર આરોપ છે રાજકોટમાં લૂંટને અંજામ આપવાનો. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, રાજકોટનાં આનંદબંગલા ચોક નજીક શનિવારે રાત્રે છરીની અણીએ લૂંટની ઘટના સામે આવી હતી. માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચતા મવડી સરદારનગરમાં રહેતા અને એસ.ટી બસ સ્ટેન્ડ પાછળ પાનનો ગલ્લો ચલાવતા જગદીશભાઇ સતિષભાઇ મંડિર સાથે લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જગદીશભાઇએ આનંદબંગલા ચોકમાં એકટીવા ઉભુ રાખી નાનાભાઇ લખનને તે કયારે દૂકાનેથી નીકળે છે? તે પુછવા ફોન કરતો હતો. 

દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો બાઇકમાં આવ્યા હતાં અને એકટીવાની ચાવી કાઢી લઇ મોબાઇલ ફોન આંચકી લઇ સ્વીચ ઓફ કરી દીધો હતો. એ પછી મહાવીર સેલ્સવાળી દૂકાનના અંધારા ખાંચામાં લઇ જઇ દિવાલ સાથે દબાવી છરી બતાવી હેન્ડબેગમાંથી રૂપીયા 17 હજાર રોકડા કાઢી લીધા હતાં. તેમજ ગળામાંથી ચાંદીનો લોકેટ સાથેનો ચેઇન ખેંચી લીધો હતો. આ ઉપરાંત મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. આમ કુલ ૨૪ હજારની લૂંટ થયાની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. જે ગુનો શોધી કાઢવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા ભક્તિનગર વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહીલ અને બે સગીરે લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા પોલીસે દબોચી લીધા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. 

પોલીસનાં કહેવા મુજબ, આરોપી ધ્રુવરાજસિંહની પુછતાછ કરતા અન્ય બે લૂંટના ભેદ પણ ખુલ્યા હતાં. જેમાં તેની સાથે સગીરો નહિ પણ ઘનશ્યામનગરનો મનિષ ઉર્ફ ઢોલકી હરિયાણી અને પરેશ ઉર્ફ મદારી સામેલ હતાં. પરેશ મદારી ફરાર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી નથી. જોકે આરોપી મનિષ ઉર્ફ ઢોલકીને પોલીસે દબોચી લીધો હતો. આ ત્રણેયએ અઢી મહિના પહેલા કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ નજીક અરવિંદભાઇ બોદરને આંતરી છરી બતાવી તુલસીના પારાવાળી માળા રૂપીયા ૨૦ હજારની અને ૧૦ હજાર રોકડા લૂંટી લીધા હતાં. જ્યારે ત્રણ મહિના પહેલા ગોંડલ રોડ પરીન ચોકડી પાસે બાઇક પર જતાં બે યુવાનને આંતરી છરી બતાવી રૂપીયા ૧૮ હજારની લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આ તમામ આરોપીઓ મોજશોખ કરવા અને પોતાનાં ખર્ચાઓ કાઢવા માટે જ લૂંટને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ તો પોલીસે લૂંટને અંજામ આપનાર ધ્રુવરાજસિંહ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોનાં કહેવા મુજબ, ધ્રુવરાજસિંહ પોતાની ગેંગ ચલાવતો હતો. જોકે ગેંગનાં બે હિસ્સા થતા અલગ અલગ શખ્સોને સાથે રાખીને લૂંટને અંજામ આપતો હતો. એકલ - દોકલ લોકોને છરી બતાવી પોતાનાં મોજશોખ પૂરા કરવા લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસને ધ્રુવરાજસિંહે અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની શંકા છે. હાલ પોલીસ આરોપી ધ્રુવરાજસિંહની પુછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવરાજસિંહ કેટલા ગુનાઓ કબુલે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news