કોરોનાના પ્રકોપ વચ્ચે રથયાત્રાને લઈને આવ્યાં મહત્વના સમાચાર 

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રા અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. આવનારી 20મી મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાવવાની છે. રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારીઓ જ હાજર રહેશે. નગરજનોને ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રા નીહાળવા માટેની માનસિક તૈયારીઓ રાખવા જણાવવામાં આવ્યું છે. 
કોરોનાના પ્રકોપ વચ્ચે રથયાત્રાને લઈને આવ્યાં મહત્વના સમાચાર 

અમિત રાજપૂત, અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રા અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. આવનારી 20મી મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાવવાની છે. રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારીઓ જ હાજર રહેશે. નગરજનોને ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રા નીહાળવા માટેની માનસિક તૈયારીઓ રાખવા જણાવવામાં આવ્યું છે. 

અત્રે જણાવવાનું રાજ્યમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખુબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલ તો જો કે લોકડાઉન ચાલુ છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ હાલ રાજ્યમાં કોરોનાના 8195 કેસ નોંધાયા છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 2545 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 

જુઓ LIVE TV

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 5818 કેસ નોંધાયા છે. જ્યારે 381 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news