અમદાવાદ: ચારિત્ર્યની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

શહેરના નારોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી તેથી તેણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે

અમદાવાદ: ચારિત્ર્યની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી તેથી તેણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં આવેલા નજર પાર્ક અલીફ નગરમાં પતિ મોહમ્મદ શેખ અને તેની પત્ની શબાના બાનું શેખ રહેતા હતા. મોહમ્મદ શેખને શબાના બાનુંના ચારિત્ર્ય પર શંકા હતી. જેને લઇ મોહમ્મદ શેખે જ તેની પત્નીના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી હતી અને શબાના બાનુંના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પતિ મોહમ્મદ શેખની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જ્યારે આ ઘટનાને પગલે મૃતક શબાના બાનુંની બહેન ફરઝાના બાનુંએ જણાવ્યું હતું, મોહમ્મદ શેખ મારી બેનને રોજ મારતો હતો. તે કોઇ જ કામ કરતો ન હતો. મારી બેન કપડા સીવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ પહેલા પણ તેની બે પત્ની હતી. શબાના બાનું તેની ત્રીજી પત્ની હતી. આ પહેલા પણ બે પત્નીઓને પણ તેણે મારી નાંખી છે.

અત્યારે હાલ નારોલ પોલીસે આરોપી મોહમ્મદ શેખની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમની આરપાસના લોકો અને પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news