પતિએ કરવત વડે પત્ની પર કર્યો હુમલો, પરણીતાએ જણાવ્યું આ કારણ

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરણીતાની સાથે તેના પતિએ નજીવી બાબતમાં ઝગડો કરી માર મારતા ઇજા પહોંચી હતી.

પતિએ કરવત વડે પત્ની પર કર્યો હુમલો, પરણીતાએ જણાવ્યું આ કારણ

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરણીતાની સાથે તેના પતિએ નજીવી બાબતમાં ઝગડો કરી માર મારતા ઇજા પહોંચી હતી. જેને લઇ પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિ ધરપકડ કરી લીધી છે.

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદની પંચાલ નામની પરણીતા તેના પતિ વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેમાં પતિ દ્વારા કરવત વડે માર મારતા પરણીતા ઇજાગ્રસ્ત થઇ હતી. ભોગ બનનાર પરણીતાને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પરણીતા તેમ જ તેના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે પરણીતા ગર્ભવતી છે અને તેને અગાઉ ત્રણ દિકરીઓ છે. હાલમાં જે ગર્ભ છે તે દિકરો જ આવવો જોઈએ તે બાબતે સાસરીયા તેમ જ પતિ તેને માનસિક ત્રાસ આપતા હતા તેમ જ તેને માર માર્યો હતો. જો કે પોલીસએ આ મામલે જણાવ્યું હતુ કે ઘરના અંગત ઝગડામાં આ ઘટના બની છે અને આરોપી પતિની પણ ધરપકડ કરી લેવામા આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news