GUJARAT CORONA UPDATE: ગુજરાતીઓ ચેતી જજો! રાજ્યના 27 જિલ્લાઓમાં એક્ટિવ છે કોરોના, જાણો આજના નવા કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે

GUJARAT CORONA UPDATE: ગુજરાતીઓ ચેતી જજો! રાજ્યના 27 જિલ્લાઓમાં એક્ટિવ છે કોરોના, જાણો આજના નવા કેસ

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2022

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 203 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભાવનગર કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 12 અને જામનગર કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગરમાં 21, સુરત 16, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરામાં 7, અમરેલીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4 પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 185 દર્દીઓ સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 51, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ભાવનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 13 અને જામનગર કોર્પોરેશનમાં 5 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 31, બનાસકાંઠામાં 2, કચ્છમાં 19, ગાંધીનગરમાં 9, સુરત 2, આણંદમાં 9, વલસાડમાં 6, મોરબીમાં 11, વડોદરામાં 5, અમરેલીમાં 13, દેવભૂમિ દ્વારકામાં 4, નવસારીમાં 13, અમદાવાદમાં 3, રાજકોટમાં 7, સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 8, પોરબંદરમાં 1, ભરૂચમાં 2, ગીર સોમનાથમાં 1, સુરેન્દ્રનગરમાં 1, ખેડામાં 4, પાટણમાં 1, તાપીમાં 3, ભાવનગરમાં 12 અને જૂનાગઢમાં 01 દર્દીઓ સાજા થયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 18, 2022

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 69,904 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 788 ને રસીનો પ્રથમ અને 1,355 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 202 ને રસીનો પ્રથમ અને 884 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,818 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,113 ને રસીનો પ્રથમ અને 2,289 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,455 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,25,67,196 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news