આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે

Gujarat Weather Forecast : બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન...કચ્છની સાથે રાજસ્થાન અને યુપી સુધી થશે અસર....ઘરોમાં ઘૂસશે પૂરના પાણી...150 કિમીની ઝડપે ફૂંકાશે પવન...વાવાઝોડું વર્તાવશે કાળો કેર..

આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે

Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડું હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ પોરબંદરથી 350 કિમિ દૂર છે. 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહી દીધું કે આ વાવાઝોડું વિનાશક બની રહેશે. તેમણે કહ્યું કે, બિપરજોય વાવાઝોડું કેટલાક વિસ્તારોમાં પૂર લઈને આવશે. તો કેટલીક નદીઓમાં પાણીની આવક થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવશે. સૌરાષ્ટ્ર નદીઓની આસપાસના વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતની સુખી નદીઓમાં પાણીની સારી આવક થશે.

ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે
બિપોરજોય ચક્રવાતને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી કે, આ વાવાઝોડાની અસર કચ્છ સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય સહીત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સુધી રહેશે. ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠે પૂર આવશે. લોકો ઘરોમાં પૂરના પાણી ઘુસી જશે,  છાપરાઓ ઉડી જશે. ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે. 650 કિલોમીટરના એરિયામાં અસર થશે. આ સમગ્ર વાવાઝોડું કાળો કહેર વર્તાવશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ વાવાઝોડાંમાં રાજસ્થાન સહિત પાકિસ્તાનમાં અસર થશે.

બિપોરજોય વાવાઝોડું સમગ્ર જનજીવનને કંપાવી દેશે
વાવાઝોડાની અસર કેવી રહેશે તે વિશે તેઓએ કહ્યું કે, વાવાઝોડું 150 કિમીની ઝડપે ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડું સમગ્ર જનજીવનને કંપાવી દેશે. વાવાઝોડામાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે અસર થશે. બિપરજોયના કારણે ભારેથી અતિભારે પૂરની સ્થિતિ સર્જાશે. કોસ્ટલ એરિયાની સાથે રાજ્યના આંતરિક વિસ્તારમાં પણ ભારે અસર થશે. રાજ્ય સરકારના પ્રયત્નો ખુબ સારા અને હવામાન વિભાગની આગાહી ઉપર ધ્યાન આપવું. 

હવે કચ્છ પર ખતરો 
હવે કચ્છ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે માંડવીના રામેશ્વર ટેકરા વિસ્તારમાથી સ્થળાંતર શરૂ કરાયું છે. લગભગ 700 લોકોનું માંડવી નગરપાલિકા સ્થળાંતર કરી શકે છે. 200 જેટલા સ્થાનિકોને 60 જેટલા કાચા મકાનમાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. બિપરજોય ચક્રવાતને પગલે દરયાઇ કરંટ વધતા 5 કિલોમીટર સુધીના કાચા મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. માંડવી પાલિકા દ્વારા સ્થળાંતર કરાયેલ સ્થાનિકોને નજીકમાં આવેલા રામેશ્વર મંદિર ખાતે અને સમાજની વાડીઓએ લોકોને ઉતારો અપાયો છે. 
હાલ પોરબંદરમાં સમયાંતરે છુટા છવાયા સામાન્ય વરસાદી ઝાપટા

પોરબંદર પર હજી પણ સંકટ 
પોરબંદર જિલ્લા શહેરમાં મળી અંદાજે 3000 થી વધુ લોકોને નિચાણ વાળા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ખાપટ વિસ્તારના 295 શ્રમિકો પરિવારોને પ્રાથમિક શાળાના પાકા મકાનમાં સ્થળાંતરિત કરાયા છે. શ્રમિક-કામદાર પરિવારો માટે શેલ્ટર હોમમાં તબીબી તપાસ અને જમવાની સુવિધા ઉભી કરાઈ છે. હાલ શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. વિવિધ 60 સ્થળે વૃક્ષ પડ્યા, જેનો તંત્રએ નિકાલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news