33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર

Gujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
 

33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર

New Rule For Housing Society : 33 વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓના ટ્રાન્સફર ફીના ધારાધોરણ નવેસરથી નક્કી કરાશે. નવા નિયમથી આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે. સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની રહેશે અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે.

ગુજરાતમાં હાઉસીંગ કો.ઓપ. સોસાયટીમાં મિલ્કતોના થતા ખરીદ વેંચાણમાં ટ્રાન્સફર ફી અંગે છેક માર્ચ માસમાં રાજ્યની વિધાનસભાએ ખરડો પસાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાએ ફેબ્રુઆરી માસમાં ધ ગુજરાત કો.ઓપ. સોસાયટી(સુધારા) બીલ-2024 મંજૂર કર્યુ હતું અને તે કાનુન બની ગયો હતો. પરંતુ હજુ સુધી નવા નિયમો બન્યા નથી. ત્યારે સૌથી પહેલા કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓના ટ્રાન્સફર ફી અંગે નિર્ણય લેવાઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર હવે ડેવલપમેન્ટ ચાર્જની વ્યવસ્થા જ નાબુદ કરે તેવી ધારણા છે. ગુજરાત કો.ઓ.સોસાયટી એકટ 1961માં આ સુધારા દાખલ કરાયા છે અને તેમાં સોસાયટી નિશ્ચિત ટ્રાન્સફર ફી કરતા વધુ ફી ઉઘરાવી શકે નહીં તે જોગવાઇ કરવામાં આવી છે. હાલના કાયદામાં ટ્રાન્સફર ફી અંગે કોઇ ચોકકસ જોગવાઇ નથી. દર વર્ષે 1500 હાઉસીંગ સોસાયટીઓ તો બની જાય છે, પરંતુ તેના કોઈ કાયદા કાનૂન નથી. દરેક પોતાની મનમરજીથી ટ્રાન્સફર ફી વસુલે છે. ત્યારે હવે આ મનમાની પર બ્રેક લાગશે.

સરકારે તાજેતરમાં જ હાઉસીંગ સોસાયટીની નોંધણી માટે ઓછામાં ઓછા 10 સભ્યોની જે જોગવાઇ છે તે ઘટાડીને 8 સભ્યોની કરી હતી. ત્યારે હવે કયા કયા નિયમો લાગુ થઈ શકે છે તે જોઈએ.

નવા નિયમો મુજબ 

  • કોઇપણ સોસાયટીનો કોઇપણ પ્રકાર હશે તેને ધ્યાનમાં લીધા વિના સોસાયટીના તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.
  • સરકારમાં નોંધણી કરાવેલી કોઇપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હાલના મકાન માલિક પાસેથી જ્યારે કોઇ નવો સભ્ય મકાન, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે ત્યારે હાઉસિંગ સોસાયટી વહીવટ પેટે જે રકમ લે છે તેને ટ્રાન્સફર ફીની રકમ ગણવામાં આવે છે. 
  • આ ફીની રકમ ચૂકવીને મકાન કે ફ્લેટ ખરીદનાર નવો સભ્ય વિધિવત રીતે તે સોસાયટીનો સભાસદ બની જાય છે, અને તે સોસાયટી તરફથી પૂરી પડાતી તમામ સેવાઓનો લાભ ઉઠાવી શકે છે.

33 વર્ષ બાદ ટ્રાન્સફર ફીની રકમ બદલાશે 
રાજ્ય સરકારે છેલ્લે ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરી હતી ત્યારથી આજદિન સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2016ની સાલમાં પણ એ જ ફીની રકમ નક્કી રાખવામાં આવી હતી. હવે 33 વર્ષ બાદ રાજ્ય સરકાર ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ-1961ની કેટલીક કલમોમાં સુધારા કરીને ટ્રાન્સફર ફીને વધુ તર્કસંગત બનાવશે. સરકારે નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઇ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે, જેના કારણે રાજ્ય સરકારને નવા નિયમો બનાવીને ટ્રાન્સફર ફીમાં સુધારા-વધારા કરવાની સત્તા આપોઆપ મળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news