DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.
DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.

ગુજરાત સરકારની ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત, મજૂર કાયદામાં સુધારો કર્યો

તેમણે જણાવ્યું કે, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને વેચાણ પર પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આવી બાબતો ધ્યાને આવશે તો તેમની સામે ગુનો નોંધાશે. ગઈકાલે દૂધના કેનમાં પાન મસાલાની હેરફેર સંદર્ભે રાજકોટ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓનો દુરુપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે. એ જ રીતે આંતર જિલ્લા હેરફેર માટે પણ માત્ર અધિકૃત પાસના આધારે જ હેરફેર થઈ શકશે. એટલે કોઈએ પાસ વગર નીકળવું નહિ. પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી ખાતે નકલી પાસ બનાવીને અમરેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ પણ કરી દેવાઈ છે.

‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’

પોલીસ કર્મચારીઓને થઈ રહેલા કોરોના સંક્રમણ અંતે શિવાનંદ ઝાએ કહ્યું કે, લૉકડાઉન સંદર્ભે પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમાં સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓની તબિયત સારી છે. 67 પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સ્વસ્થ થઈ ગયા છે. તકેદારીના ભાગરૂપે 601 જેટલા કર્મીઓ હોમ ક્વોરોન્ટાઈન હેઠળ હતા. તે તમામ લોકોએ ક્વોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. 

સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ 

  • ગઈકાલે ડ્રોનના સર્વેલન્સથી ૧૯૧ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૭૦૩ ગુના દાખલ કરીને ૨૧,૮૫૬ લોકોની ધરપકડ કરાઈ છે. 
  • સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૮ ગુના નોંધીને ૮૭ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૭૭૮ ગુના નોંધીને ૩૯૦૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
  • રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૧૮ ગુનામાં ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૬૦૬ ગુનામાં કુલ ૮૬૨ લોકોની અટકાયત કરવામાં આવી છે.
  • સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૫ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૦૧ ગુના દાખલ કરીને ૧૪૪૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 
  • સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૬ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૬૩ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
  • પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૯૩ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૮૭૫ ગુના નોંધવામાં આવ્યા છે. 
  • ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૦ સહિત આજદિન સુધીમાં કુલ ૧૧૫૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
  • કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૬૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૯૯૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
  • ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ર૧૬૪ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૬૮ ગુના તથા  અન્ય પ૭૯ ગુના મળી કુલ ૩૫૨૧ ગુનાઓ દાખલ કરી કુલ ૪૨૨૨ આરોપીની અટકાયત કરવામાં આવી છે. 
  • આ સાથે ૬૨૦૯ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 
  • અત્યાર સુધીમાં કુલ ૧,૩૬,૮૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. 
  • પોલીસ દ્વારા ગતરોજ પ૮૬૬ અને અત્યાર સુધીમાં ૨,૦૦,૩૭૫ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news