GUJARAT CORONA UPDATE: 12 નવા કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના આંકડા કાબુમાં છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,204 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની કુલ 9729 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: 12 નવા કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા કાબુમાં છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,204 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કોરોનાની કુલ 9729 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ હાલ કોરોનાના 98 કેસ એક્ટિવ છે. જો કે રાહતના સમાચાર છે કે, એક પણ નાગરિક વેન્ટીલેટર પર નથી. 98 નાગરિકો સ્ટેબલ છે. 12,13,204 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 5 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 2 અને નવસારીમાં 1 કેસ નોંધાયો હતો. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 299 નાગરિકોને રસીનો પ્રથમ અને 1999 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 51 ને રસીનો પ્રથમ અને 462 નાગરિકોને રસીનોબીજો ડોઝ અપાયો હતો. 2882 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા.  12-14 નાગરિકો પૈકી 1255 ને રસીનો પ્રથમ જ્યારે 2781 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 9729 કુલ રસીના ડોઝ અપાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news