ઠંડીમાં નીરાની ભારે બોલબાલા! સૂર્ય ઉગતા પીઓ તો ફાયદાકારક, સૂર્યોદય બાદ નશાકારક પીણું...

આદિવાસી નર્મદા જિલ્લામાં તાડના કુદરતી રીતે જ થયેલા વધુ વૃક્ષો આવેલા છે. જિલ્લાના પાંચેય તાલુકામાં તાડના ઝાડ પર નાના નાના માટલા બાંધી તેમાંથી ઝરતો રસ ઝીલાઈ રહ્યો છે, જે રસ સવારમાં નીરો તરીકે પીવાય છે.

ઠંડીમાં નીરાની ભારે બોલબાલા! સૂર્ય ઉગતા પીઓ તો ફાયદાકારક, સૂર્યોદય બાદ નશાકારક પીણું...

જયેશ દોશી/નર્મદા: ઠંડીની મોસમની ધીરે ધીરે શરૂ થઇ ગઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં પીવાતા પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે. અંતર્યાળ નર્મદા જિલ્લો 42 ટકા વન વિસ્તાર છે અને તેથી જ અહી કુદરતી વૃક્ષોનું પ્રમાણ પણ ઘણું છે. હાલ નર્મદા જીલ્લાના કુદરતી તાળ ના ઝાડ પર થતા નીરાની મોસમ પણ શરૂ થઇ ગઈ છે અને લોકો આ આરોગ્યવર્ધક પીણાની લહેજત માણી રહ્યા છે. સાથે જ તાળના ઝાડ આ આદિવાસીઓ માટે આવકનું એક પૂરક સાધન પણ બની રહ્યું છે. પરંતુ આયુર્વેદ તજજ્ઞ આ પૌષ્ટિક પીણાંને માત્ર સવારે જ પીવાનું સૂચન કરે છે.

આદિવાસી નર્મદા જિલ્લામાં તાડના કુદરતી રીતે જ થયેલા વધુ વૃક્ષો આવેલા છે. જિલ્લાના પાંચેય તાલુકામાં તાડના ઝાડ પર નાના નાના માટલા બાંધી તેમાંથી ઝરતો રસ ઝીલાઈ રહ્યો છે, જે રસ સવારમાં નીરો તરીકે પીવાય છે. વહેલી સવારે લોકો નીરો પીવા ઉમટી રહ્યા છે અને નીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાય આદિવાસીઓને હાલ નીરાના વેચાણ થકી આજીવિકા પણ મળી રહી છે.

100 ફૂટ જેટલા ઊંચા ઝાડ પર ચઢી બાંધવામાં આવતી માટલીમાં ઝરતા રસને તેઓ એકત્રિત કરી તેનું વેચાણ કરી રહ્યા છે. આ તાળના ઝાડ આ આદિવાસીઓ માટે આવકનું એક પૂરક સાધન પણ બની રહ્યું છે. પરંતુ આ નીરો સવારમાં માત્ર સૂર્ય ઉગતા પહેલા પીવાય તો ફાયદો કરે છે અને ત્યારબાદ તે તાડી એટલે કે નશાકારક પીણું બની જતો હોવાથી આ નીરાનો સંગ્રહ કરવા સરકાર દ્વારા નીરા કેન્દ્ર બનાવાય તેમ પણ અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

આ વિસ્તારના લોકોને વધુ રોજગારી મળે તે માટે સરકાર દ્વારા નીરો કેન્દ્ર બનાવવામાં આવે અને આ નીરાને તાળી બનતો અટકાવાય તે માટે સરકાર દ્વારા આ જિલ્લામાં નીરા કેન્દ્ર પણ બનાવવામાં આવે તો લોકોને તાજો નીરો કાયમ માટે મળી રહે. જોકે આ માટે કેટલાક લોકોએ નીરા કેન્દ્ર બનાવવાની માંગ કરી છે. વળી નીરા કેન્દ્ર બને તો આખો દિવસ તાજો અને પૌષ્ટિક નીરો જિલ્લાવાસીઓને મળે તેમ પણ લોકો ઈચ્છી રહ્યા છે.

શિયાળામાં ઠંડીની મોસમમાં નીરો પીવાથી શરીરને નવી જ ઉષ્મા બક્ષતો નીરો પીવા નર્મદા જીલ્લામાં લોકો મોટા શહેરોમાંથી પણ આવી રહ્યા છે, ત્યારે આદિવાસીઓની પુરક રોજગારી ગણાતા આ નીરા માટે જિલ્લામાં નીરા કેન્દ્ર બને તે ઈચ્છનીય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news