વડોદરામાં કોરોનાના વળતા પાણી, 17 દિવસમાં 5434 બેડ ખાલી થયા

વડોદરામાં કોરોનાના વળતા પાણી, 17 દિવસમાં 5434 બેડ ખાલી થયા
  • શુક્રવારે કુલ 329 વેન્ટિલેટર બેડ પૈકી 52 ખાલી હતા. જે પૈકી 52 માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ 364 પૈકી 43 ખાલી હતા

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાની બીજી લહેરના વળતા પાણી થવા માંડ્યા છે. વડોદરામાં 17 દિવસમા 5434 બેડ ખાલી થયા છે. આ 17 દિવસમાં વડોદરાની 190 હોસ્પિટલોમાં 4543 બેડ ખાલી થયા છે. સાથે જ આઈસીયુમા પણ 27 ટકા દર્દીઓ ધટ્યા છે. જે બતાવે છે કે વડોદરામાં કોરોનાના કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. 

શુક્રવારે નવા 841 કેસો આવ્યાં હતા. જોકે સામે 1066 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તો છેલ્લાં 10 દિવસમાં 9531 દર્દી સાજા થયા છે. સાથે જ કોરોનાના મૃતકોની સંખ્યામાં પણ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેન્ટિલેટર બેડ અગાઉ 15 જ ખાલી હતા જેમાં 13 ગણાથી વધુનો વધારો થયો છે અને 140 ખાલી થયા છે. શુક્રવારે સાંજે પાલિકાના રિપોર્ટ મુજબ આ હોસ્પિટલોમાં શુક્રવારે કુલ 329 વેન્ટિલેટર બેડ પૈકી 52 ખાલી હતા. જે પૈકી 52 માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ 364 પૈકી 43 ખાલી હતા.

આ પણ વાંચો : બ્લેક ફંગસની મહામારીમાં શુ સાવધાની રાખવી, એક્સપર્ટસ તબીબોએ આપી આ મહત્વની માહિતી 

શુક્રવારે નવા કેટલા કેસ નોંધાયા 
વડોદરા શહેર જિલ્લામાં શુક્રવારે સાંજે 841 કેસ નવા નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 63,436 ઉપર પહોંચી ગયો છે. તો શુક્રવારે 7 દર્દીના મોતનો આંકડો સામે આવ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 564 પર પહોંચ્યો છે. આજે 1066 દર્દીએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં કુલ 53,209 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9663 એક્ટિવ કેસ પૈકી 427 દર્દી ઓક્સિજન ઉપર અને 271 દર્દી વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો : પારસી સમુદાયની હાઈકોર્ટમાં રજૂઆત, કોરોનાકાળમાં અમારી અંતિમ વિધિને મંજૂરી આપો

આમ, કહી શકાય કે વડોદરામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. પરંતુ કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના બેડ વધી રહ્યાં છે. જેથી લોકોએ હવે આ નવા મહામારી સામે સતર્ક રહેવુ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news