જૂનાગઢની કેશોદ બેઠક પર BJPમાં ભડકો, ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું, પાટિલને પત્ર લખી ઠાલવી વેદના...'

Gujarat Elections 2022: કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ પદેથી રાજીનામું આપ્યું છે.

જૂનાગઢની કેશોદ બેઠક પર BJPમાં ભડકો, ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું, પાટિલને પત્ર લખી ઠાલવી વેદના...'

Gujarat Elections 2022:ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે અત્યાર સુધી 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. પરંતુ અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓની ટિકીટ ભાજપે કાપી છે, ત્યારે અમુક ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. 

કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ પદેથી રાજીનામું આપ્યું છે. ટિકિટ ના મળતાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી રહી છે. હવે અરવિંદ લાડાણી અપક્ષમાંથી ચૂંટણી લડશે. એટલું જ નહીં, પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે.

આ પણ વીડિયો જુઓ:-

અરવિંદભાઈ લાડાણીએ પાટીલને લખ્યો એક પત્ર
કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ સી.આર.પાટીલને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. 

No description available.

હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news