નોંધી લેજો આ નંબરો! બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત

Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે

નોંધી લેજો આ નંબરો! બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત

Gujarat Weather Forecast: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

1. અમદાવાદ - 079-27560511
2. અમરેલી - 02792-230735
3. આણંદ - 02692-243222
4. અરવલ્લી - 02774-250221
5. બનાસકાંઠા - 02742-250627
6. ભરૂચ - 02642-242300
7. ભાવનગર - 0278-2521554/55
8. બોટાદ - 02849-271340/41
9. છોટાઉદેપુર - 02669-233012/21
10. દાહોદ - 02673-239123

11. ડાંગ - 02631-220347
12. દેવભૂમિ દ્વારકા - 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર - 079-23256639
14. ગીર સોમનાથ - 02876-240063
15. જામનગર - 0288-2553404
16. જૂનાગઢ - 0285-2633446/2633448
17. ખેડા - 0268-2553356
18. કચ્છ - 02832-250923
19. મહીસાગર - 02674-252300
20. મહેસાણા - 02762-222220/222299

21. મોરબી - 02822-243300
22. નર્મદા - 02640-224001
23. નવસારી - 02637-259401
24. પંચમહાલ - 02672-242536
25. પાટણ - 02766-224830
26. પોરબંદર - 0286-2220800/801
27. રાજકોટ - 0281-2471573
28. સાબરકાંઠા - 02772-249039
29. સુરેન્દ્રનગર - 02752-283400
30. સુરત - 0261-2663200

31. તાપી - 02626-224460
32. વડોદરા - 0265-2427592
33. વલસાડ - 02632-243238

સ્થળાંતરની વિગત:
જૂનાગઢ ૫૦૦, કચ્છ ૬૭૮૬, જામનગર ૧૫૦૦, પોરબંદર ૫૪૩, દ્વારકા ૪૮૨૦, ગીર સોમનાથ ૪૦૮, મોરબી ૨૦૦૦, રાજકોટ ૪૦૩૧. અત્યાર સુધી કુલ સ્થળાંતરનો આંકડો ૨૦૫૮૮ એ પહોંચ્યો. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું દૂર સ્થિર થયું છે. હાલ 300 કિમિ દૂર દરિયામાં સ્થિર થઈ ગયું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર વધુ ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 280 કિમી દૂર. જખૌથી 310 કિમી દૂર અને નલિયાથી 330 કિમિ દૂર છે. હાલ પોરબંદરમાં વરસાદ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news