આજથી સુરત ડેપો આવતી-જતી તમામ બસો બંધ, અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત (Surat) માં કોરોના (Corona Virus) ના કારણે સ્થિતિ કથળી રહી છે. સતત વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી સુરત ડેપો આવતી તમામ એસટી બસો (ST Bus) બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. કોરોના સંક્રમણ ને પગલે આ નિર્ણય લેવાયો છે. 
આજથી સુરત ડેપો આવતી-જતી તમામ બસો બંધ, અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે

ચેતન પટેલ, સુરત: રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરત (Surat) માં કોરોના (Corona Virus) ના કારણે સ્થિતિ કથળી રહી છે. સતત વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી સુરત ડેપો આવતી તમામ એસટી બસો (ST Bus) બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. કોરોના સંક્રમણ ને પગલે આ નિર્ણય લેવાયો છે. 

આગામી 10 દિવસ સુધી સુરતની તમામ એસટી બસોનું સંચાલન બંધ રહેશે. હાલ મુસાફરો કામરેજ ચોકડી સુધીની એસટી બસ પકડીને સુરત નજીક પહોંચી શકશે. આ નિર્ણય એસટી અને ખાનગી તમામ બસો માટે કરવામાં આવ્યો છે. ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ તથા ખાનગી બસ સેવાનું સંચાલન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. આવતીકાલે 27 જુલાઈથી 10 દિવસ માટે બસ સંચાલન સ્થગિત કરાયું છે. આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગઈ કાલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ નવા કેસ સુરતમાં નોંધાયા. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં સતત કેસ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 299 નવા કેસ નોંધાયા અને આ સાથે જ સુરત જિલ્લાના કુલ કેસનો આંકડો 11,672 પર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કારણે 364 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news