પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે સૌથી મોટા ખુશખબર: એડવાન્સ ટેક્સ ભરનારાને થશે ફાયદો, AMC આટલા ટકા સુધીનું રિબેટ આપશે

પ્રોપર્ટી ટેક્સ ભરનારા લોકો માટે સૌથી મોટા ખુશખબર, એડવાન્સ ટેક્સ ભરનારાને થશે ફાયદો, AMC 15% સુધીનું રિબેટ આપશે

પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે સૌથી મોટા ખુશખબર: એડવાન્સ ટેક્સ ભરનારાને થશે ફાયદો, AMC આટલા ટકા સુધીનું રિબેટ આપશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: નાણાંકીય વર્ષ 2023-24 માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે મુજબ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાઓને 15 ટકા સુધીનું રિબેટ અપાશે. જેમાં સૌથી વધુ રાહત ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને થશે. આગામી 18 એપ્રિલથી 17 મે દરમ્યાન અમલમાં આવે એ રીતે સ્કીમ મુકાઈ છે. આ યોજના ટેક્સ નિયમિતપણે, સમયસર ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરી છે. 

AMCના બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે. પ્રત્યક્ષ અને ઓનલાઇન પદ્ધતિ પેમેન્ટ માટે અલગ અલગ ટકા મુજબ રિબેટ મળશે. ચાલુ વર્ષનો એડવાન્સ ટેક્સ પ્રત્યક્ષ ભરનારને તોતિંગ 12 ટકા તેમજ પાછલા ત્રણ વર્ષમાં એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો વધુ 2 ટકા રિબેટ મળશે. આજ રીતે ચાલુ વર્ષનો એડવાન્સમાં ભરનારને 12 અને અગાઉ 3 વર્ષનો એડવાન્સમાં ભરનારને 2 ટકા ઓનલાઇન ટેક્સ ભરનારને વધુ 1 ટકા મળી કુલ 15 ટકા રિબેટ આપવામાં આવશે.

400 કરોડના આવકનો અંદાજ
વર્ષ 2023-24 પહેલા સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રિબેટ અપાશે. એડવાન્સ ટેકસ સ્કીમ થકી AMCને ચાલુ નાણાંકીય વર્ષમાં 400 કરોડના આવકનો અંદાજ રાખેલો છે. એક કરતા વધુ વર્ષ માટે પણ એડવાન્સ ટેક્સ ભરવા માંગતા કરદાતાને પણ મોટો લાભ મળશે. વ્યાજમાફી યોજના પણ અમલમાં હોવાથી કરદાતા ડબલ બોનાન્ઝા સ્કીમનો લાભ પણ મળેવી શકાશે. સળંગ ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા વધુ બે ટકા એમ કુલ મળીને 15 ટકા રિબેટ અપાશે. 

18 એપ્રિલથી 17 મે સુધી સ્કીમ અમલમાં મુકાશે
કરદાતાઓ માટે આગામી 18 અપ્રિલથી 17 મે સુધી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. જો કોઈ 2023-24નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ઉપરોક્ત તારીખ સુધીમાં ભરે છે તો તેમને 2023-24ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને કોન્ઝરવન્સી ટેક્સની રકમ પર રાહત અપાશે.

કરદાતાઓને મળશે મહત્તમ રિબેટ
નિયમિત રીતે પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે 18 એપ્રિલથી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. આ અંતર્ગત વર્ષ 2023-24 માટેનો એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રીબેટ અપાશે. જો કોઈ ઓનલાઈન ટેક્સ ભરે છે, તો તેમને વધુ એક ટકો એટલે કે કુલ મળીને 13 ટકા રિબેટ અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news