અમદાવાદઃ શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદ, રસ્તાઓ પર ભૂવાનું સામ્રાજ્ય

અમદાવદ શહેરના રસ્તાઓ પર પડેલા ભૂવાથી લોકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. 

અમદાવાદઃ શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદ, રસ્તાઓ પર ભૂવાનું સામ્રાજ્ય

અમિત રાજપૂત/અમદાવાદઃ અમદાવાદમાં વરસાદ પડે અને ભૂવો ન પડે તો જ નવાઈ. ત્યારે શહેરના સારંગપુર રેલવે ફ્લાય ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો છે. વરસાદના કારણે પુલ પર ભૂવો પડ્યો છે. બ્રિજ પર ઘટના બનવા છતાં મહાનગરપાલિકા કે રેલવે તંત્રના કોઈપણ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. ભૂવાના કારણે લોકોને કોઈ મુશ્કેલી પડે છેકે નહીં તેની તસ્દી પણ લીધી નહોતી. ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં  આ વખતે પણ દર ચોમાસાની જેમ અનેક જગ્યાએ ભૂવા પડે છે. જેના કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news