‘વેન્ટિલેટર’ પર ટકેલો છે અમદાવાદનો આ ફ્લાયઓવર, શું કોઈ મોટી હોનારતની જોવાઈ રહી છે રાહ?

વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રીજ ઉપર રોડ તૂટી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું.

‘વેન્ટિલેટર’ પર ટકેલો છે અમદાવાદનો આ ફ્લાયઓવર, શું કોઈ મોટી હોનારતની જોવાઈ રહી છે રાહ?

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રીજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. હાટકેશ્વર બ્રીજ ગત ચોમાસામાં પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જેથી પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રીજને ફરીથી તળ તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 90 લાખનો ખર્ચે આ બ્રીજના તળને બનાવવા પાછળ કરવામાં આવી રહ્યો છે. 

No description available.

વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રીજ ઉપર રોડ તૂટી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે, જેમા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી આ બ્રીજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે, ત્યારે આગામી સમયમાં શું ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશન કોન્ટ્રાક્ટર સામે તપાસ કરશે. 

No description available.

નોંધનીય છેકે અગાઉ નવેમ્બર 2021 પછી 2022ના જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં ગાબડા પડવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ઝી 24 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને પુછ્યુ તો તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે બ્રીજની ડિઝાઇનમાં ખામી હતી. બ્રીજના સેમ્પલ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરીશું.

No description available.

ભાજપના વર્તમાન શાષકો જ્યારે સ્વીકારી રહ્યા હોય કે બ્રીજની ડિઝાઇનમાં ખામી હતી તો પછી અનેક પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક છે. સમગ્ર ઘટનામાં ઝી 24 કલાક પ્રશ્નો પુછી રહ્યુ છે.

- બ્રીજ કોન્ટ્રાક્ટર અજય એન્જીનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી ને 40 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનુ કામ સોંપાયુ, તો તેની કોઇ જવાબદારી કેમ નક્કી ન કરાઇ.??

- બ્રીજની ડિઝાઇન બનાવવા માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે રૂ.60 લાખની માતબર રકમ ચૂકવાઇ, છતા પણ તેની સામે કેમ કોઇ એક્શન નહી.??

No description available.

- બ્રીજ બનીને ખુલ્લો મુકાયો એ દરમ્યાન પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે એસજીએલ પ્રાઇવેટ કંપનીને પણ એજ રીતે રૂ.60 લાખ ચૂકવવામાં આવ્યા. જેનુ કામ બ્રીજની બનાવટ સમયે ગુણવત્તા ચકાસવાનુ હતુ. તેની સામે કેમ કોઇ પગલા નહી.???

- બ્રીજ બનતો હોય ત્યારે ખાનગી એજન્સીઓ ઉપરાંત એએમસીના ઇજનેરી અધિકારીઓની પણ એટલી જ સુપરવિઝનની અને તમામ મંજૂરીઓ આપવાની જવાબદારી હોય છે, તો લાખ્ખોના પગારદાર એવા ઉચ્ચ ઇજનેરી અધિકારીઓ સામે કેમ કોઇ પગલા નહી.????

No description available.

- જો વર્તમાન શાષકો સ્વિકારતા હોય કે બ્રીજની ડિઝાઇન ખોટી છે, તો તે સમયના ભાજપી શાષકોએ કેમ કોઇ પગલા ન લીધા, કાણા ઇશાકે કોન્ટ્રાક્ટર અને અન્ય એજન્સીઓને છાવરવામાં આવ્યા.????

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news