Loksabha Election 2024: અબ કી બાર 50% વોટ પાર', PM મોદીએ દિલ્હીમાં લોકસભાની બેઠકના ટાર્ગેટ કર્યા સેટ

પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપીના પદાધિકારીઓને સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને ચાર જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. જેમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબોને મહત્વ આપવા ભાજપની બેઠકમાં નિર્દેશ અપાયો છે. 

Loksabha Election 2024: અબ કી બાર 50% વોટ પાર', PM મોદીએ દિલ્હીમાં લોકસભાની બેઠકના ટાર્ગેટ કર્યા સેટ

હિતેન વિઠલાણી/અમદાવાદ: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સતત ત્રીજી વખત જીત મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 કરતાં વધુ મોટી જીતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે કહ્યું કે ભગવા પક્ષને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 50 ટકા મત મેળવવાની જરૂર છે. 

શુક્રવારે નવી દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય ભાજપ પદાધિકારીઓની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "આ વખતે ભાજપને કુલ મતદાનના ઓછામાં ઓછા 50% મત મેળવવાની જરૂર છે." અગાઉની સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપને 37.36 ટકા મત મળ્યા હતા, જેમાં કુલ 303 બેઠકો પર જીત મેળવી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો ભાજપને 50 ટકાથી વધુ વોટ મળશે તો તે વધુ નિર્ણાયક જીત મેળવી શકશે. બીજેપીના પદાધિકારીઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે કહીને, તેમણે ચાર મહત્વપૂર્ણ જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. જેમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબોના હેતુ માટે કામ કરવા માટે આ બેઠકમાં નિર્દેશ કરાયો છે.

વડાપ્રધાને કહ્યું કે "ગરીબી આ દેશમાં સૌથી મોટી જાતિ છે," પીએમ મોદીએ  બીજેપી ના નેતાઓને કહ્યું. સકારાત્મક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વિપક્ષ દ્વારા ભજવવામાં આવતી "નકારાત્મક રાજનીતિ" ની જાળમાં ન પડવું. તેમણે કહ્યું કે આ પ્રકારની નકારાત્મક રાજનીતિ ધ્યાન લાયક નથી અને તેનો અસરકારક રીતે સામનો કરવો જોઈએ. પરંતુ, તેમણે પાર્ટીના નેતાઓને સોશિયલ મીડિયા પર નજર રાખવા અને યુવાનોને આકર્ષિત કરતા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનો ઉપયોગ કરવા સહિત સંદેશાવ્યવહારના નવા તેમજ વધુ નવીન સાધનો શોધવાની સલાહ પણ આપી હતી.

પીએમ મોદી ગત સાંજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા અને લગભગ ચાર કલાક સુધી બેઠકમાં રહ્યા. બેઠક દરમિયાન તેમણે દોઢ કલાક સુધી પદાધિકારીઓને સંબોધ્યા હતા. બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકના પ્રથમ દિવસે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું જ્યારે તેમને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પર પ્રેઝન્ટેશન અને મહાસચિવ સુનીલ બંસલ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર પ્રાપ્ત પ્રતિસાદ પણ રજૂ કર્યો હતો.

બેઠકના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે ભાજપના ચાણક્ય કહેવાય છે તેમના દ્વારા સમાપન સંબોધન આપવામાં આવશે અને સત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેઓ આખો દિવસ બેઠકમાં હાજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news