TMKOC: તારક મહેતા....ના સોઢી ફેમ ગુરુચરણ સિંહ વિશે એક એવી વાત સામે આવી... ફેન્સની ચિંતા વધી ગઈ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા ગુરુચરણ સિંહ વિશે નવી જાણકારી સામે આવી છે.

TMKOC: તારક મહેતા....ના સોઢી ફેમ ગુરુચરણ સિંહ વિશે એક એવી વાત સામે આવી... ફેન્સની ચિંતા વધી ગઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા ગુરુચરણ સિંહ વિશે નવી જાણકારી સામે આવી છે. પોલીસના રિપોર્ટ મુજબ ગુરુચરણ સિંહે એટીએમમાંથી 7000 રૂપિયા કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમના ગૂમ થયાની વિગતો સામે આવ્યા બાદ આ પૈસા કાઢવામાં આવ્યા હતા. પોલીસે એમ પણ જણાવ્યું કે અભિનેતાનો ફોન કયા લોકેશન પર જઈને બંધ થયો હતો. જોકે, આજદીન સુધી આ મામલે કોઈ ખબર બહાર આવી નથી કે રોશનસિંહ સોઢી ક્યાં છે, પોલીસ પણ તેમની શોધખોળ કરી રહી છે. 

એટીએમમાંથી કાઢ્યા હતા પૈસા
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે અભિનેતાએ દિલ્હીના એક એટીએમથી લગભગ 7000 રૂપિયા કાઢ્યા હતા અને તેઓ છેલ્લે પાલમ નામના વિસ્તારમાં જોવા મળ્યા હતા. જે તેમના ઘરથી થોડા કિલોમીટર દૂર છે. આમ તો ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગૂમ છે. પરંતુ 24 એપ્રિલના દિવસે તેઓ પાલમના એક ટ્રાફિક સિગ્નલ પાસે લગભગ રાતે 9.14 વાગે રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો. 

લગ્ન કરવાના હતા?
કેટલાક રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું છે કે ગુરુચરણ સિંહ જલદી લગ્ન કરવાના હતા અને તેઓ આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા હતા. જો કે એક અખબારના રિપોર્ટમાં તેમના પરિવારના હવાલે કહેવાયું છે કે ગુરુચરણ સિંહના લગ્ન અંગેના કોઈ પણ  પ્લાનિંગથી તેઓ અજાણ છે. તેમના પરિવારે કહ્યું કે તેમને એ ખબર નથી કે આવી ખબરો ક્યાંથી આવે છે. ગુરુચરણ સિંહના એક સંબંધીએ એમ પણ કહ્યું કે ગુરુચરણના પિતા બોલવાની સ્થિતિમાં નથી અને પરિવાર પાસે હજુ સુધી આ મામલે કોઈ અપડેટ નથી. અભિનેતા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તે અંગે કોઈ જ પુષ્ટિ થઈ નથી. 

શું કહ્યું પિતાએ
ગુરુચરણ સિંહના પિતાએ પોલીસને જણાવ્યું છે કે અભિનેતા 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેઓ ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો પોતાના ઘરે પહોંચ્યા. પિતાની ફરિયાદ બાદ પોલીસે અપહરણનો મામલો નોંધીને અભિનેતાની શોધ શરૂ કરી દીધી છે. 

કોણ છે ગુરુચરણ સિંહ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ હરજીત સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ગુરુચરણ સિંહ ખુબ ફેમસ થઈ ગયા હતા. પરંતુ તેમણે પછી શો છોડી દીધો હતો. તેમને જ્યારે શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે તેમના પિતાની તબિયત ઠીક નથી અને તેમણે તેમની દેખભાળ કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news