કાજોલના લગ્નની વિરુદ્ધ હતા તેના પિતા, અભિનેત્રીએ હવે કારણનો કર્યો ખુલાસો

Kajol Reveals Her Father Was Against Her Marriage: કાજોલે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો તો તેના પિતા તેની વિરુદ્ધ હતા, પરંતુ માતાએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. 

કાજોલના લગ્નની વિરુદ્ધ હતા તેના પિતા, અભિનેત્રીએ હવે કારણનો કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ કાજોલ અને અજય દેવગન ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન લોકોની પસંદગીની જોડી છે. બન્ને સાથે શાનદાર જિંદગી જીવી રહ્યાં છે. તેમના લગ્નને આશરે 20 વર્ષ થઈ ગયા છે. હાલમાં કાજોલે જણાવ્યું કે, કેમ તે લગ્ન માટે પોતાના પિતાની મરજીથી વિરુદ્ધ ગઈ. તેમાં તેની માતાનું સમર્થન પ્રાપ્ત હતું. 

નતા ઈચ્છતા કે 24 વર્ષની ઉંમરમાં કરે લગ્ન
કાજોલ અને અજય દેવગનનું લગ્ન જીવન ખુબ સારૂ ચાલી રહ્યું છે. તેના બે બાળકો નીસા અને યુગ છે અને બન્ને માતા-પિતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યાં છે. લગ્ન બાદ પણ કાજોલ ફિલ્મોમાં એક્ટિવ છે. કાજોલે એક ન્યૂઝ પોર્ટલને પોતાના લગ્ન સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું, તેમના પિતા શોમૂ મુખર્જી તેના 24 વર્ષની ઉંમરે લગ્ન કરવાના નિર્ણય વિરુદ્ધ હતા. તેઓ ઈચ્છતા હતા કે લગ્ન પહેલા કાજોલ વધુ કામ કરે. પરંતુ કાજોલના નિર્ણય પર તેના માતા તનુજાએ તેને સાથ આપ્યો હતો. 

કાજોલના માતા તનુજાએ આપ્યો હતો સાથ
કાજોલે જણાવ્યું કે, તેમના માતાએ કહ્યું હતું કે, તેણે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. અજય દેવગન અને કાજોલે 24 ફેબ્રુઆરી 1999ના લગ્ન કર્યા હતા. આ વર્ષે તેઓ લગ્નના 22 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો કાજોલની ફિલ્મ ત્રિભંગ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news