આમિર-અક્ષય જેની પાછળ ફરતા હતા, નહોંતી બનવા માંગતી મમ્મી...આજે છે 160 બાળકોની માં!

Actress Mother of 160 Kids: જેણે એક સમયે ટોચની અભિનેત્રી બનીને વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું, પોતાનું ફિગર મેઈનટેન કરવા તે માતા બનવા માંગતી...હવે તે 160 બાળકોની માં બનીને બેઠી છે...શું તમે આ અભિનેત્રીને ઓળખો છો?

આમિર-અક્ષય જેની પાછળ ફરતા હતા, નહોંતી બનવા માંગતી મમ્મી...આજે છે 160 બાળકોની માં!

Actress Mother of 160 Kids: આ આર્ટિકલમાં અમે તમને 90ના દાયકાની એક એવી રૂપસુંદરી વિશે વાત કરી રહ્યા છીએ જેણે એક સમયે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું હતું. એમ કહો કે તેણે એક પીરીયડ સુધી બોલીવુડ પર રાજ પણ કર્યું. ઘણા કલાકારો સાથેના તેના અફેરની પણ ખૂબ ચર્ચા થઈ. આમિર ખાનથી લઈને અક્ષય કુમાર જેની પાછળ પાછળ ફરતા હતા. પરંતુ હિટ થતાં જ તેણે નોન-ફિલ્મી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને હવે તે 160 બાળકોની માતા બની ગઈ છે. જાણો કોણ છે આ અભિનેત્રી...

કોલેજનો સ્ટુડન્ટ બનીને થઈ ફેમસઃ
આ સમયગાળા દરમિયાન આયેશાએ ઘણી ફિલ્મો કરી પરંતુ તેને લોકપ્રિયતા આમિર ખાન સાથેની ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'થી મળી. આ ફિલ્મમાં આયેશાએ કોલેજ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો. આ ફિલ્મ જોરદાર હિટ થયા બાદ આયેશાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

આ બંને સાથે હતું અફેરઃ
'બલમા', 'મહેરબાન', 'ઓલાદ કે દુશ્મન', 'કોહરા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી. આ ફિલ્મોના કારણે આયેશાએ લાંબા સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું. ફિલ્મોની સફળ અભિનેત્રી આયેશા જુલ્કાનું નામ બોલિવૂડના બે કલાકારો સાથે જોડાયું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આયેશા અને અક્ષય કુમાર એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. તો તેમના બ્રેકઅપ બાદ આયેશાનું નામ નાના પાટેકર સાથે પણ જોડાયું હતું.

લગ્ન થતાં જ સ્ટારડમને મારી લાતઃ
પરંતુ ત્યારબાદ વર્ષ 2003માં અભિનેત્રીએ સમીર વશી સાથે લગ્ન કર્યા અને બોલીવુડ છોડી દીધું. બંનેના લગ્નને લગભગ 21 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ તેમને કોઈ સંતાન નથી.

મારા પોતાના બાળકો રાખવા નથી માંગતા-
બાળકો વિશે, અભિનેત્રીએ ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું - 'મારે બાળકો નથી, મારે બાળકો નથી જોઈતા. હું ફક્ત મારા કામ અને સામાજિક કાર્યોમાં ઘણો સમય અને શક્તિ ખર્ચું છું. આવી સ્થિતિમાં બાળકો સાથે આ કામ શક્ય નથી. ભલે આયેશાએ પોતાના બાળકો ન લેવાનો નિર્ણય લીધો હોય, પરંતુ માતા ન બન્યા પછી પણ તે 160 બાળકોને ઉછેરવાનું ચાલુ રાખે છે. અભિનેત્રી તેના પતિ સાથે મળીને આ બાળકોનો ખર્ચ ઉઠાવે છે. તેણે ઘણા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે અભિનેત્રીએ ગુજરાતના 2 ગામોને પણ દત્તક લીધા છે.

મારો પોતાનો વ્યવસાય છે-
આ સિવાય આયેશા જુલ્કા પોતાનો બિઝનેસ સંભાળે છે. તેણે ગોવામાં સામરોક કન્સ્ટ્રક્શન કંપની, કપડાંની લાઇન, સ્પા અને બુટિક રિસોર્ટ ખરીદ્યો છે. લાંબા સમય બાદ આયેશા છેલ્લી વેબ સીરિઝ 'ખુશશાલ ફેમિલીઃ શર્ત્તે લાગૂ'માં જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news