ગરબે ઘૂમવા માટે થઇ જાવ તૈયાર કારણ કે આવી રહ્યા છે 'દયાબેન'

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chasmah) ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે. શોના ફેન્સને એન્ટરટેન કરવામાં કોઇ કસર છોડી નથી. TRP ચાર્ટમાં પણ આ શોના ટોપ 5માં પોતાની જગ્યા બનાવી લીધી છે.

ગરબે ઘૂમવા માટે થઇ જાવ તૈયાર કારણ કે આવી રહ્યા છે 'દયાબેન'

નવી દિલ્હી: જો તમે 'તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chasmah) ના જોરદાર ફેન છો તો અમે તમને એક ખુશખબરી જણાવવા માટે જઇ રહ્યા છીએ. એકવાર ફરીથી શોમાં દયાબેન (Dayaben) ગરબે ઘૂમતી જોવા મળશે. અ શોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવનાર પાત્ર રહ્યું છે, જેઠાલાલ (Jethalal) અને દયાબેનનું. દયાબેન થોડા વર્ષોથી શોમાંથી બહાર હતી પરંતુ હવે ફરીથી ગોકુલધામ સોસાયટીમાં આવી રહી છે. આ સમાચાર દયાબેનના ભાઇ સુંદરે પોતાના બનેવી જેઠાલાલને આપ્યા છે. 

ફેન્સ થયા એક્સાઇટેડ
'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chasmah) ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે. શોના ફેન્સને એન્ટરટેન કરવામાં કોઇ કસર છોડી નથી. TRP ચાર્ટમાં પણ આ શોના ટોપ 5માં પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના ફેન્સ માટે એક ખુશખબરી આવી રહી છે. ગત ત્રણ વર્ષથી દયાબેન (Dayaben) માંથી ગાયબ છે. દર્શક દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા અને દરમિયાન દયાના ભાઇ સુંદરલાલ (Sundarlal) એ દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યું છે. આ સમાચારને સાંભળીને ફેન્સ પણ એક્સાઇટેડ છે. 

હિનાની મનગમતી કંપની આ મોડલનું Production કરી રહી છે બંધ, જાણો શું છે કારણ
 
દયાના ભાઇએ આપી ખુશખબરી
શોના એપિસોડમાં સુંદરલાલ પોતાના જીજાજીના ઘરે પહોંચે છે અને પોતાની સાથે દયાબેનની વાપસીના સમાચાર લઇને આવે છે. જેઠાલાલને સુંદરલાલ જણાવે છે કે તેમણે નવો રિયલ સ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ તે જેઠાલાલને દયાબેને લખેલો એક પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને કન્ફર્મ વાત લખી હોય છે. દયાબેનની વાપસીના સમાચાર સાંભળી જેઠાલાલ ઇમોશનલ થઇ જાય છે અને ખુશીથી ઝૂમવા લાગે છે. દયાબેનની શોમાં વાપસીથી જેઠાલાલ જ નહી પરંતુ ફેન્સ પણ ખુશીથી ઝૂમી ઉઠશે. 

શો માટે ખૂબ મહત્વપૂર્ણ છે દયાબેન
એક્ટ્રેસ દિશા વાકાણી (Disha Vakani) શો શું અને કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજો એ વાતથી સરળતાથી લગાવી શકાય છે કે ભલે તે શોમાં ગત કેટલાક વર્ષોથી જોવા મળી રહી નથી અને ના તો વાપસીની કોઇ કન્ફર્મ તારીખ નથી. તેમછતાં પણ મેકર્સે તેમની જગ્યા આજસુધી કોઇને આપી નથી. તમને જાણીને આશ્વર્ય થશે કે ગોકુલધામની પુરી મહિલા મંડળમાં સૌથી વધુ ફી દયાબેન એટલે કે દિશા વાકાણીને જ મળે છે. ફક્ત મહિલા મંડળ જ નહી પરંતુ આ શોના દરેક કલાક કરતાં ક્યાંય વધુ ફી દીશા વાકાણી લે છે.   

... માટે લીધો હતો બ્રેક
અત્રે ઉલ્લેખનીય છે કે દયાબેનની હંસી અને ડાયલોગ ડિલીવરી (Dialogue Delivery) એ દર્શકોનું મનોરંજન કર્યું છે. ઓડિયન્સ વચ્ચે તેમનું પાત્ર ખૂબ જાણિતું છે. દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ પોતાના અનોખા અંદાજના કારણે દયાબેનના પાત્રને લોકોના દિલ સુધી પહોંચાડી દીધું છે. પરંતુ માતા બન્યા પછી તેમણે શોને અલવિદા કહી દીધું હતું. ત્રણ વર્ષ બાદ ફરીથી દયાબેન વાપસી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news