સોનાક્ષી સિન્હાએ કેમ બીજા ધર્મના ઝહીર ઇકબાલ સાથે કર્યાં લગ્ન? 24 દિવસ બાદ જણાવ્યું કારણ

Sonakshi Sinha અને ઝહીર ઇકબાલના લગ્નને એક મહિનો થવાનો છે. 23 જૂને સોનાક્ષીએ કોર્ટ મેરેજ કર્યાં હતા. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતા. હવે સોનાક્ષીએ જણાવ્યું કે તેણે ઝહીર સાથે કેમ લગ્ન કર્યાં છે. 

સોનાક્ષી સિન્હાએ કેમ બીજા ધર્મના ઝહીર ઇકબાલ સાથે કર્યાં લગ્ન? 24 દિવસ બાદ જણાવ્યું કારણ

Sonakshi Sinha on Wedding With Zaheer: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નને એક સપ્તાહમાં એક મહિનો થઈ જશે. આ બંનેના લગ્ન 23 જૂને થયા હતા. લગ્ન બાદ અભિનેત્રીની પ્રથમ ફિલ્મ કાડુકા તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનાક્ષીએ પોતાના અને ઝહીર વિશે વાત કરી છે. અભિનેત્રીએ તે પણ જણાવ્યું છે કે તેણે બીજા ધર્મના ઝહીર ઇકબાલને પોતાનો શૌહર કેમ બનાવ્યો છે. 

ઝહીર સાથે કેમ કર્યાં લગ્ન?
સોનાક્ષી સિન્હાએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરી હતી. અભિનેત્રીએ લગ્ન પર વાત કરતા કહ્યું- ઝહીર મારી લાઇફને શેપ કરવામાં મદદ કરે છે. આ કારણ છે કે મેં તેની સાથે લગ્ન કર્યાં છે. તે મારા જીવનની ઉતાર-ચઢાવમાં એક મોટી સપોર્ટ સિસ્ટમ રહ્યો છે. તે કારણ છે કે હું મારા કામમાં સફળ થઈ શકું છું. 

દરેકને મળે ઝહીર જેપો પતિ
અભિનેત્રીએ કહ્યું- જ્યારે હું ઘરે પરત આવું છું તો ત્યાં પણ ખુશ રહું છું. આ વાત મારા કામમાં પણ દેખાય છે. હું તો તે કહીશ કે દરેકને પોતાની લાઇફમાં તેવો વ્યક્તિ જોઈએ જે તેને જીવનમાં ઝહીર જેવો પ્રેમ કરે અને આગળ વધવામાં મદદ કરે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)

તણાવને પાછળ છોડી દઉં છું
સોનાક્ષીએ કહ્યું કે અમારી પાર્ટનરશિપ એ રીતે બનેલી છે કે અમે બંને એકબીજાનો સાથ આપીએ છીએ. હું મારા કામના તણાવને પાછળ છોડી દઉં છું અને ઝરીરની પાસે પરત આવી જાઉં છું.

ટ્રોલિંગ પર શું બોલી સોનાક્ષી?
સોનાક્ષીના લગ્ન બાદ ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે એક અભિનેત્રી હોવાને નાતે મારૂ કામ છે કે પરંતુ મારૂ આખુ જીવન નથી અને હું તેને આવી રાખવા ઈચ્છુ છું. આ એવું છે જેને તમે ત્યારથી જાણો છો જ્યારથી તમે એક્ટર બની રહ્યાં હોવ છો. આ કોઈ સરપ્રાઇઝ નથી. આ લાઇનમાં આવું થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news