Solar Storm: ધરતી સાથે ટકરાવવા જઇ રહ્યું છે શક્તિશાળી સૌર વાવાઝોડું, અંધારામાં ડૂબી શકે છે અનેક દેશ

Solar Storm 2024 hit earth: વૈજ્ઞાનિકોએ સૌર વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સુધી સૌર વાવાઝોડા પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. તેની અસરથી નેવિગેશન અને પાવર પ્લાન્ટ પ્રભાવિત થઇ શકે છે. 

Solar Storm: ધરતી સાથે ટકરાવવા જઇ રહ્યું છે શક્તિશાળી સૌર વાવાઝોડું, અંધારામાં ડૂબી શકે છે અનેક દેશ

Solar Storm 2024 effects on humans: પૃથ્વી તરફથી સૂર્ય તરફ જનાર એક તાકાત ઝડપથી વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બે દાયકામાં પહેલીવાર સૂર્યથી ચાલનાર ભૂ-ચુંબકીય વાવાઝોડું (Solar storm) પૃથ્વી સાથે ટકરાશે. અમેરિકાની વૈજ્ઞાનિક એજન્સી નેશનલ ઓશનિક એન્ટ એટમાસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ વોર્નિંગ જાહેર કરતાં કહ્યું કે તેનાથી સેટેલાઇટ માટે પડકાર પેદા કરી શકશે. આ ઉપરાંત પાવર ગ્રિડ થતાં, ટેલિકોમ નેટવર્ક અને ઇલેક્ટ્રિક ઉપકરણો માટે ખતરો છે. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ગંભીર શ્રેણીનું  (G4) જિયોમેગ્નેટિક વાવાઝોડું છે. તમને જણાવી દઇએ આ પહેલાં જ્યારે 2005 માં હેલોવીન સૌર વાવાઝોડું આવ્યું હતું ત્યારે સ્વીડનમાં બ્લેકઆઉટ થઇ ગયું હતું. તો બીજી તરફ દક્ષિણ આફ્રીકામાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રભાવ પડ્યો હતો. જોકે સૌર વાવાઝોડું ટકરાતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર જોવા મળે છે, જે પાવર પ્લાન્ટ અને નેવિગેશન સિસ્ટમને અસર કરે છે. રિપોર્ટ અનુસાર તસ્માનિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં લોકોએ નરી આંખે પણ આ સોલાર સ્ટોર્મની ઝલક જોઈ છે.

તમને જણાવી દઇએ કે સૌર વાવાઝોડું (Solar storm) કોરોનલ માસ ઇંજેક્શના લીધે બને છે જોકે સૂર્ય પર થનાર વિસ્ફોટની ઘટનાઓ છે. તો બીજી તરફ સૂર્યથી આવનાર પ્રકાશ માત્ર 8 મિનિટમાં ધરતી પર પહોંચી જાય છે. તો બીજી તરફ સીએમઇની તરંગો 800 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી ચાલે છે. 

શું છે પડકાર
વૈજ્ઞાનિકોના અનુસાર સૌર વાવાઝોડા (Solar storm) ના લીધે મેગ્નેટિક ફીલ્ડમાં પરિવર્તન થાય છે. જેના લીધે પાવર લાઇનમાં એકસ્ટ્રા કરંટ આવી શકે છે. અને બ્લેક આઉટનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરા6ત લાંબી પાઇપલાઇનોમાં પણ વિજળી પ્રવાહિત થઇ શકે છે. જેના લીધે મશીનો ખરાબ થવાનો ખતરો છે. આ ઉપરાંત અંતરિક્ષ યાન પોતાનો રસ્તો ભટકી શકે છે. નાસાએ પોતાના અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા માટે એક ટીમ બનાવી છે. 

કબૂતરોના જૈવિક હોકાયંત્ર પણ આ સૌર વાવાઝોડાથી છેતરાઈ શકે છે. તમને જણાવી દઈએ કે કબૂતર એવા પક્ષીઓ છે જેની દિશાની સમજ ખૂબ જ મજબૂત હોય છે. નાસાના અભ્યાસ મુજબ, સૌર વાવાઝોડા દરમિયાન કબૂતરોની સંખ્યા ઘટે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોએ અગાઉથી જ લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news