ભારત-UAE દોસ્તી જિંદાબાદ, અબુધાબીના સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા બોલ્યા પીએમ મોદી

PM Modi In UAE: પીએમ મોદીએ અબુધાબીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદી આવતીકાલે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 

ભારત-UAE દોસ્તી જિંદાબાદ, અબુધાબીના સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા બોલ્યા પીએમ મોદી

અબુધાબીઃ India UAE Relation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ પર યુએઈની રાજધાની અબુધાબીમાં છે. તેમણે મંગળવારે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરી હતી. મોહમ્મદ બિન ઝાયદે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ અબુધાબીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. 

સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતનું વર્ણન કરતા પીએમ મોદીએ લખ્યું કે હું મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદનો અબુ ધાબી એરપોર્ટ પર મારા સ્વાગત માટે સમય કાઢવા માટે ખૂબ જ આભારી છું. UAE ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકમાં તેમના ઉદ્ઘાટન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે મારું અને મારી ટીમનું ભવ્ય સ્વાગત કરવા બદલ હું તમારો આભારી છું. તમે કહ્યું તેમ, હું જ્યારે પણ અહીં આવ્યો છું, મને હંમેશા એવું લાગ્યું છે કે હું મારા ઘર અને પરિવારમાં આવ્યો છું.

— Narendra Modi (@narendramodi) February 13, 2024

અબુધાબી સ્ટેડિયમમાં પીએમ મોદીનું સંબોધિત
- અબુધાબીના સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયદનો પણ આ શાનદાર ઈવેન્ટનું આયોજન કરવા બદલ આભાર માનું છું. આ ઉષ્માપૂર્ણ સમારોહ તેમના સમર્થન વિના શક્ય ન હોત. મારા પ્રત્યેનો તેમનો સ્નેહ મારા માટે મોટી સંપત્તિ છે. પીએમ મોદીએ કહ્યું કે મને 2015માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે, જ્યારે હું સરકારમાં જોડાયાને વધુ સમય નથી પસાર થયો હતો. ત્રણ દાયકા પછી કોઈ ભારતીય પીએમની યુએઈની આ પ્રથમ મુલાકાત હતી.

પીએમ મોદીએ કહ્યું કે અમે છેલ્લા સાત મહિનામાં પાંચ વખત મુલાકાત કરી છે. આજે ભારત અને યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી છે. પીએમ મોદી બુધવારે અબુધાબીમાં બીએપીએસના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે યુએઈમાં બીએપીએસ મંદિર ભારત માટે સ્નેહનું ઉદાહરણ છે. 

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે અબુ ધાબીમાં BAPS મંદિરનું નિર્માણ UAE નેતૃત્વના સમર્થન વિના શક્ય બન્યું ન હોત. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને UAE દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ હસ્તાક્ષર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news