ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં હિંસક નરસંહાર, એક જ દિવસમાં 64 લાશો પથરાઇ

Papua New Guinea News: પાપુઆ ન્યૂ ગિનીના એનગ્રા પ્રાંતમાં જનજાતિય ગ્રુપની લડાઇએ ખૌફનાક વળાંક લીધો છે. ગત અઠવાડિયે એક વિવાદમાં 60 થી વધુ લોકોને ગોળીઓથી ઉડાવી દીધા હતા. 

ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં હિંસક નરસંહાર, એક જ દિવસમાં 64 લાશો પથરાઇ

Papua New Guinea: એક-બે નહી, ઓછામાં ઓછી 64 લાશો.. પાપુઆ ન્યૂ ગિનીમાં જનજાતિય હિંસાએ નરસંહારનું રૂપ લઇ લીધું છે. સ્થાનિક પોલીસના અનુસાર તાજા હિંસામાં 60થી વધુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રાજધાની પોર્ટ મોર્સબીથી કોઇ 600 કિલોમીટર દૂર એનગ્રા પ્રાંતમાં લાશના ઢગલથી આખા સનસની મચી ગઇ છે.

ન્યૂઝ એજન્સી AFP સાથે વાતચીતમાં આસિસ્ટેંટ કમિશ્નર ઓફ પોલીસે કહ્યું કે 'અમારું માનવું છે કે હજુ પણ જાડીઓમાં લાશો છુપાયેલી છે. પોલીસને તમામ ફોટો-વીડિયો મળ્યા છે જે કથિતરૂપથી ઘટનાસ્થળના છે. રોડના કિનારે લાશો પથરાયેલી હતી. તમામ લાશો લોહી લથબથ હતી અને તેમના પર કોઇ કપડું ન હતું. આ નરસંહારને પાપુઆ ન્યૂ ગિની જનજાતિય ગ્રુપના સંઘર્ષના પરિણામો ગણવામાં આવે છે.  

ગત વર્ષે હિંસામાં લગભગ 150 લોકોના મોત બાદ સમગ્ર પ્રાંતમાં લોકડાઉન કરવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર તમામ ફૂટેજ વાયરલ થયા હતા જેમાં લોકોને ટ્રકની પાછળ બાંધીને ઘસેડવામાં આવી રહ્યા હતા. 

પાપુઆ ન્યૂ ગિનીમાં કેમ થાય છે આટલી હિંસા
- પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારોમાં આદીવાસી સમુદાય સદીઓથી અંદરો અંદર લડે છે. જોકે હવે નવા નવા હથિયારો સુધી પહોંચે હિંસામાં અનેકગણો વધારો કર્યો છે. પોલીસના અનુસાર હત્યારાઓએ SLR, AK-47, M4, AR15 અને  M16 રાઇફલો જેવા હથિયારોનો ઉપયોગ કર્યો. 

- પહાડી વિસ્તારોમાં વસવાટ કરીને હિંસાની આગ ભડકી ઉઠી છે. તાજેતરમાં જ પાપુઆ ન્યૂ ગિનીના આ વિસ્તારે મોટાપાયે હત્યાઓ જોઇ છે. સરકારે સામ-દંડ-ભેદ તમામ ઉપાય કરી લીધા, પરંતુ હિંસા કાબૂ કરી શકી નહી. સેનાએ પણ લગભગ 100 સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે પરંતુ તે ઉંટના મોંઢામાં જીરા બરાબર છે. 

- પાપુઆ ન્યૂ ગિનીની અડધાથી વધુ વસ્તી 24 વર્ષથી નાની ઉંમરની છે. રોજગારીનું સંકટ છે તો યુવકો હિંસકનું વલણ કરે છે. તમામ આદીવાસી ગ્રુપ અંદરો અંદર પોતાની શાન માટે ટકરાય છે. જર જમીનથી માંડીને  મિત્રો સંબંધીઓમાં અણબનાવ પર લોહી વહાવવામાં આવે છે. 

- સામાન્ય રીતે નરસંહારની એવી ઘટનાઓ એકદમ રિમોટ વિસ્તારોમાં અંદાજ આપવામાં આવે છે. આ હુમલામાં નાગરિકોને પણ છોડવામાં આવતા નથી. પહેલાં ઘણા મામલામાં ગર્ભવતી મહિલાઓથી માંડીને બાળકો અને વડીલો સુધી શિકાર બને છે. હત્યાઓની રીત એકદમ વીભત્સ રહે છે. 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીઝે પાપુઆ ન્યૂ ગિનીમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે એક રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું ''પાપુઆ ન્યૂ ગિનીથી જે સમાચાર આવ્યા છે તે ખૂબ પરેશાન કરનાર છે. અમે પોલીસ અધિકારીઓની ટ્રેનિંગ અને પાપુઆ ન્યૂ ગિનીમાં સુરક્ષા માટે ખૂબ સહાયતા આપી રહ્યા છે.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news